રાજકોટમા ગાંધી જયંતિને લઇ 150 વિદ્યાર્થીઓ ગાંધીજી બન્યા હતા. શાળા નંબર 93ના વિદ્યાર્થીઓએ ગાંધી જયંતિના આગલા દિવસે અનોખી ઉજવણી કરી હતી. ગાંધી બની ભારતનો નકશો બનાવ્યો હતો અને ગાંધીજીની રાહ પર ચાલવાની અપીલ કરી હતી. 150મી જયંતિ હોવાથી 150 વિદ્યાર્થીઓ પોતડી, લાકડી અને ચશ્મા પહેરી ગાંધીજીની વેશભૂષા ધારણ કરી હતી અને ગાંધી બન્યા હતા. તમામ વિદ્યાર્થીઓ ભારતના નકશાના આકારમાં ઉભા રહી ભારત દેશનો નકશો બનાવ્યો હતો અને એક ભારત અને ભારતમા એકતાનો સંદેશો પાઠવ્યો હતો.ગાંધીજીના આદર્શો, સિદ્ધાંતો પર ચાલીને મુશ્કેલી દૂર કરો, દરેક સમસ્યાનું સમાધાન ગાંધી માર્ગે ચાલવાથી મળે તેવો સંદેશો પાઠવ્યો હતો.
Trending
- ભૂલથી પણ મહાદેવને ન ચઢાવો આ વસ્તુઓ…
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો અને દિવસ પ્રગતિકારક રહે
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ