Abtak Media Google News

તાત્કાલીક ખાડા નહીં બુરાય તો સ્વયંભૂ આંદોલનની ટ્રાન્સપોર્ટરોની ચીમકી

ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેના ચારનાળાથી વિક્ટર સુધીનો રોડ એમએપી કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે જ્યાં સુધી આ રોડ ન થાય ત્યાં સુધી મરામત માટે સાડા ત્રણ કરોડ ફાળવ્યા છે પરંતુ આ કંપની દ્વારા હાલ માત્ર દસ ટકા કામ થયું છે આ કંપની છેલ્લા ચાર મહિનાથી એક પણ રસ્તાનું રીપેરીંગ કર્યું નથી જેને કારણે રાહદારીઓ મુશ્કેલીમાં મુકાય છે રસ્તામાં ઠેર ઠેર ગાબડાઓ છે મોટા મોટા પથરાઓ પડ્યા છે

Advertisement

આજથી ચાર માસ પહેલા આ કોન્ટ્રાકટરે ડાયવર્જન ન બતાવ્યો હોવાથી ૯ ના મોટ થયા હતા તેના કારણે આ કોન્ટ્રાક્ટર એક મહિનો જેલમાં રહ્યા હતા જેમાં આની ઘોર બેદરકારી હતી આજે આ પ્રશ્ને પટેલ સમાજના આગેવાન શિરીષભાઈ પટેલને ડે કલેક્ટરને ડાભીને પત્ર પાઠવી આ કોન્ટ્રાક્ટર સામે રસ્તો રીપેર ન કરે તો ખાતાકીય પગલાં આ કામગીરી બ્લેક લિસ્ટમાં મુકવા માંગણી કરી છે

આ અંગે તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન ભીખાભાઇ પિંજરે હાલ નેશનલ હાઇવે ની કામગીરી ગોકળગતિએ છે તે શરુ નહિ કરાય તો રાજુલા તાલુકાના અનેક લોકો હેરાન પરેશાન થશે આ અંગે કિસાન સંઘ આગેવાન શ્રી ભરતભાઈ સાવલીયાએ જણાવ્યું કે આ રોડ માટી નાખવાથી ચોમાસામાં ફૂટ ફૂટના ખાડા પડ્યા છે જેના લીધે રાહદારીઓ વાહનચાલકો હેરાન પરેશાન છે તેમજ આજુબાજુના ખેડૂતોને પાક માં ભારે નુકશાની છે ત્યારે આ વિસ્તારમાં ભાવનગરથી વેરાવળ સુધીના નેશનલ હાઈવેના કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીથી તેવો સવાલ આમ જન્મતામાંથી ઉઠ્યો છે ટૂંક સમયમાં આ કંપની હીંડોરણાથી ફૂટ ફૂટના ખાડા નહિ બુરે તો સ્વયંભૂ આંદોલન કરવાની ચીમકી ટ્રાન્સપોર્ટ વાળા આપી રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.