ગોંડલ સંપ્રદાયના પૂ.ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામમાં છેલ્લા ૧૮ વર્ષથી માનવરાહત, સોનલ સદાવ્રત યોજના ચાલે છે. અત્યારની કારમી મોંઘવારીને ધ્યાનમાં લઈ ઈન્દુબાઈ મહાસતીજીના પરમભકતો તથા દાતાઓના સૌજન્યથી આ માનવ સેવા એજ પ્રભુ સેવાનું સુવ્યવસ્થિત-પારદર્શક સોનલબાઈ મહાસતીજીના માર્ગદર્શન હેઠળ આ માનવરાહતનું કાર્ય ચાલી રહ્યું છે. જેમાં દર મહિને અનેક વિવિધ જીવન જરીયાતની વસ્તુઓ અપાય છે. જેમાં આજે સવારે તેલ, ગોળ, ખાંડ, મમરા, પૌઆ, રવો, મેંદો, લાપસી, મગ, મીઠી સેવ, મોરા સાટા, મોતીચુર, ચાની ભુકી, તજ, લવિંગ, એલચી, મીઠાઈ, ચવાણું, છાશ, બાસમતી ચોખા, સુપર એવન મગ, તીખા ગાંઠીયા, ટોસ પાપડ સાબુ,ડ્રેસ, સાડી, શર્ટ, પેન્ટ પીસ, કાજુકતરી તથા રૂ.૧૦૦૦/- તેમજ ગરમાગરમ ચા-નાસ્તો આપવામાં આવેલ. આ પ્રસંગે દાતાઓએ હાજરી આપી અનુમોદના કરી હતી. આ પ્રસંગે દિલાવર દાતાઓ, આગેવાનો, શ્રેષ્ઠીવર્યો, સંઘપદાધિકારીઓએ હાજરી આપી હતી. આજથી તીર્થધામમાં ધનતેરસથી ૪ દિવસ સવારે ૮:૩૦ થી ૯:૩૦ પુચ્છિસ્સુણંના જાપ ૯:૩૦ થી ૧૦:૩૦ વ્યાખ્યાન અને ગુરૂવારે બેસતા વર્ષે સવારે ૮:૩૦ કલાકે પૂ.ગુરૂણીમૈયાના મુખેથી નીકળેલું દિવ્ય-અદભુત અનુભૂતિનો અહેસાસ કરાવતું મહામાંગલિકનું જીવંત પ્રસારણ નાલંદા તીર્થધામમાં રાખેલ છે તો સર્વે ભાઈ-બહેનોએ લાભ લેવા અનુરોધ કરાયો છે. આજથી ચાર દિવસ નાલંદા તીર્થધામમાં પૂ.મહાસતીજીના દર્શન તેમજ જાપનો સેંકડો માણસો લાભ લેશે. આ પ્રસંગે ગીરધરભાઈ ગાંધી પરીવાર, રીનાબેન બેનાણી, રમેશભાઈ દફતરી મુંબઈવાળા, સમીરભાઈ દફતરી, ઈન્દિરાબેન મેતા હાજર હતા. આ પ્રસંગે પૂ.રતિલાલજી મ.સા.ની ૧૦૬મી જન્મજયંતી નિમિતે રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મહારાજ સાહેબના પરમભકત તરફથી સ્પેશ્યલ સાડી ડ્રેસ, શર્ટ-પેન્ટ પીસ, મીઠાઈ તથા રૂ.૧૦૦૦/- રોકડા દરેકને આપવામાં આવેલ હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ