રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની સંયુકત યાદીમાં જણાવાયું છે કે, કારતક સુદ ૭ એટલે કે તા.૧૪ નવેમ્બર, ૧૭૯૯ના રોજ વીરપુરની ધરતી પર જન્મેલ અને અન્નદાન એ શ્રેષ્ઠ દાનના મંત્રને વરેલા સૌરાષ્ટ્રના સંત શિરોમણી પૂ.જલારામ બાપા કે જેઓ ૧૮ વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના ભોજા ભગતના અનુયાયી બન્યા અને ભોજા ભગતે તેમને ‘ગુરૂમંત્ર માળા’ અને રામનું નામ આપ્યું. તેમના ગુના આશિર્વાદથી તેમણે વીરપુરમાં ‘સદાવ્રત’ની શરૂઆત કરી. સદાવ્રત એવું સ્થળ છે કે, જયાં સાધુ-સંતો, વીરપુર પાસેથી પસાર થનાર પ્રવાસીઓ કે જરીયાતમંદો લોકોને વર્ષના બારે માસ ભોજનની વ્યવસ્થા આપવામાં આવે છે.પૂ.સંત જલારામ બાપાની જન્મજયંતિ ઉજવણી અંતર્ગત શોભાયાત્રાનું આવતીકાલે તા.૧૪ને બુધવારના રોજ સાંજે ૬:૩૦ કલાકે શહેરના કરણપરા ચોક ખાતે રાજકોટ શહેર ભાજપ દ્વારા સ્વાગત કરવામાં આવશે તો આ તકે તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે અનુરોધ કર્યો છે.
Trending
- સામાન્ય મતદાર બનીને કતારમાં ઉભા રહી રાજકોટ જિલ્લા કલેકટરે કર્યું મતદાન
- ઓફલાઇન ફીચર ડિજિટલ રૂપીયાને બુસ્ટર ડોઝ આપશે: RBI ગવર્નર
- રૂ.96 હજાર કરોડના સ્પેક્ટ્રમની હરાજીને લઈને Jio, Airtel અને VI મેદાને
- સશક્ત લોકશાહીનું પ્રેરક બળ, મજબૂત મનોબળના માનવીનું વ્હીલચેર, લાકડીના સહારે બુઝૂર્ગો, મહિલાઓનું મતદાન
- સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રથમ બે કલાકમાં મતદારોએ ઉત્સાહ દેખાડ્યો,સાંજ સુધી આ ટ્રેન્ડ જળવાય રહેશે?
- પ.બંગાળ મતદાનમાં સૌથી આગળ, મહારાષ્ટ્ર અને ગુજરાત પાછળ
- ક્ષત્રિયાણીઓ મતની ધાર દેખાડવા ઉતરી રણ મેદાનમાં
- અસ્મિતા આંદોલન સાથે આગળ વધી મતદાન કરવા પ્રતિબધ્ધ ક્ષત્રિય સમાજ