દ્વારકાધીશ જગતમંદિરમાં દર વર્ષની જેમ ધનુર્માસ દર્શનમનોરથના કાર્યક્રમો યોજવામાં આવનાર છે. માગસર મહિનામાં સૂર્ય ધન રાશિનો રહેતો હોવાથી આ માસને ધનુર્માસ તરીકે ઓળખવામાં આવે છે. શ્રી દ્વારકાધીશ જગતમંદિરના વારાદાર પુજારીની યાદી અનુસાર ધનુર્માસ ના ઉત્સવોને અનુલક્ષીને શ્રી દ્વારકાનાથજીના દર્શનના સમયમાં ફેરફાર થનાર હોવાનું મંદિરના વહિવટદારની યાદીમાં જણાવાયું છે. જે મુજબ તા.૧૮/૧૨/૨૦૧૮ને મંગળવારના રોજ મંગલાઆરતી સવારે ૫:૩૦ વાગ્યે, અનોસર (મંદિર બંધ) સવારે ૧૦:૩૦ કલાકે, તેમજ સાંજનો ક્રમ નિત્યક્રમમુજબનો રહેશે. તા.૨૦/૧૨/૨૦૧૮ને ગુરુવારના રોજ મંગલા આરતીસવારે ૫:૩૦ વાગ્યે, અનોસર (મંદિર બંધ) સવારે ૧૦:૩૦ કલાકે તેમજ સાંજનો ક્રમ નિત્યક્રમમુજબ રહેશે. તા.૩/૧/૨૦૧૯ને ગુરુવારના રોજ મંગલા આરતીસવારે ૫:૩૦ વાગ્યે, અનોસર (મંદિર બંધ) સવારે ૧૦:૩૦ કલાકે, સાંજનો ક્રમ નિત્યક્રમમુજબ રહેનાર છે. આ ઉપરાંત ધનુર્માસનાઅંતિમ દિન એટલે કે તા.૧૦/૧/૨૦૧૯ને ગુરુવારના રોજ મંગલા આરતી સવારે ૫:૩૦ વાગ્યે, અનોસર (મંદિર બંધ) સવારે ૧૦:૩૦ કલાકે તેમજ સાંજનો ક્રમ નિત્યક્રમમુજબ રહેનાર છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ