Abtak Media Google News

સોૈરાષ્ટ્રના હીરો ચેતેશ્વર પુજારાને ઓસ્ટ્રેલીયાની ઐતિહાસિક સિરીઝની જીત માટે સર્ટીફીકેટ અર્પણ કરાયું

સૌરાષ્ટ્ર રણજી ટ્રોફી ટીમ દ્વારા કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળા દ્રારા રાજ ભવનમાં સન્માન કરવામાં આવ્યું હતું. ટીમના સભ્યોએ ડિનર લઇ અવિસ્મરણીય પળો વિતાવી હતી.

Advertisement

ઓસ્ટ્રેલીયાની ઐતિહાસિક ટેસ્ટ સીરીઝ બાદ સૌરાષ્ટ્રના હીરો ચેતેશ્વર પુજારાનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રની ટીમ મમ્મોથ બાદ રણજી ટ્રોફીના સેમી ફાઇનલમાં પ્રવેશ મેળવવામાં સફળ રહી છે.

આવતીકાલે કર્ણાટકના એમ ચીનાસ્વામી ક્રિકેટ સ્ટેડીયમ ખાતે રણજી ટ્રોફીનો મેચ રમાવાનો છે. ત્યારે આ તકે રાજભવનમાં કેપ્ટન જયદેવ ઉનડકટ, ચેતેશ્વર, શેલ્ડન જેકશન, હાર્દિક દેસાઇ, સ્નેલ પટેલ, અર્પિત વસાવડા, કમલેશ મકવાણા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, વિશ્વરાજસિંહ જાડેજા, ચિરાગ જાની, પ્રેરક માંકડ, ચેતન સાકરીયા, અવી બારોટ, કિશન પરમાર, વિન્ડીત જીવરાજાણી, હાર્દિક રાઠોડ, સિતાન્સુ કોટક, જયદેવ શાહ, અભિષેક ઠાકર અને નિરજ ઓડેદરા ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.