જાગનાથ શ્વેતાંબર મુર્તિપૂજક જૈન સંઘ મધ્યે છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા દિક્ષા મહોત્સવનું આજે જાજરમાન સમાપન થયું છે. મુમુક્ષ હંસાબેન મહેતાનું ‘હેતરસા’ અને મુમુક્ષ ચાંદની દોશીનું નામકરણ ‘દેવર્ષિતા’ થયું છે. આજે પૂ.કલ્પજય સુરિશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં તથા પૂ.યશોવિજય સુરિશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં દિક્ષા અંગીકાર કરી છે. આજે દિક્ષા મહોત્સવના અંતિમ દિવસે સવારે ભવ્યાતિભવ્ય સામૈયા, શુભ મુહૂર્તે દિક્ષા વિધી તેમજ બપોરે સધાર્મિક ભક્તિ યોજાઈ હતી.હજારો જૈન અગ્રણીઓની ઉપસ્થિતિમાં દિક્ષાર્થીઓએ દિક્ષા અંગીકાર કરી છે. મહોત્સવના લાભાર્થી જામભાણવડ નિવાસી મહેતા પરિવાર અને લતીપુર નિવાસી દોશી પરિવાર હતા. સંસારના સ્વાર્થમય સંબંધોથી અકળાઈ ડગલેને પગલે હિંસાના તાડવ નૃત્ય કરી રહ્યાં છે. એવા બિહામણા સંસારથી ભયભીત બની નશ્વ પદાર્થના શ્રણીક સુખમાં આશકત ન બનતા શાશ્વ સુખના ભોક્તા બનવા જેઓના હૃદયમાં વર્ષોથી ધરબાયેલી ‘સંયમ કયારે મળશે’ની અદમ્ય ભાવના સાથે ઉત્સુક બનેલા હંસાબેન મહેતા અને ચાંદની દોશીએ આજે સંયમના માર્ગે પ્રયાણ કર્યું છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે અને પૂજા પાઠથી બળ મળી રહેશે
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે