Abtak Media Google News

સંસ્થાની વર્ષ દરમિયાનની કામગીરીનો અહેવાલ પ્રસિઘ્ધ

તાજેતરમાં દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થા રચના ફાઉન્ડેશન પાલીતાણાના વર્ષ દરમ્યાન કરેલ કામગીરીના અહેવાલનું વિમોચન અને દિવ્યાંગો માટે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ યુનિક આઈડી કાર્ડનું વિતરણ કરવામાં આવેલ હતું. રાજય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા દિવ્યાંગો માટેની યોજનાઓની જાણકારી આપવામાં આવેલ તેમજ દિવ્યાંગ લાભાર્થીઓને સમયસર સહાય મળે તે માટે માર્ગદર્શન પુરુ પાડવામાં આવેલ. આ પ્રસંગે ભાવનગર જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી, વૈશાલીબેન જોષી, પાલીતાણા મામલતદાર વસાવા, નગરપાલિકા પરીષદના મંત્રી પ્રવિણભાઈ ગઢવી, ચેરમેન ઓમદેવસિંહ સરવૈયા, વિશ્વ હિન્દુ પરીષદના પ્રમુખ કિરીટભાઈ, ભરતભાઈ રાઠોડ, રમેશભાઈ રાઠોડ, મનોજભાઈ દેસાઈ, પ્રતાપભાઈ મકવાણા, જયંતિભાઈ બારડ, હેમાબેન કેડલ તથા પત્રકારમિત્રો આ પ્રસંગે હાજર રહેલ હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બળવંતભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.