Abtak Media Google News

જૂનાગઢના માંગરોળના પોરબંદર રોડ પર આવેલા કલ્યાણધામ નજીક આજે રવિવારે વહેલી સવારે ફૂલ સ્પીડમાં કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલ્ટી મારી ગામના બસસ્ટેન્ડમાં ઘૂસી ગઇ હતી. કારમાં સવાર ચાર યુવાનો નીખીલ વાળા, વીકી પીઠવા, મોહિત રાજા કોડીયાતર અને દેવા દિનેશભાઇ કરમટાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જેમાં એકની બહેનના આજે લગ્ન છે. ભાઇના મોતથી લગ્નની ખુશઈ માતમમાં ફેરવાઇ ગઇ હતી.

Advertisement

Screenshot 2 15 Screenshot 3 12અકસ્માતની જાણ થતાં જ ગામ લોકો એકઠાં થયા હતા. અને મૃતકોને કારમાંથી બહાર કાઢ્યા હતા. સાથે સાથે કારને પણ બસસ્ટેન્ડમાંથી બહાર કાઢી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.