Abtak Media Google News

આગામી 4 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરની મુલાકાતે આવના છે. જામનગરની મુલાકાત દરમિયાન વડાપ્રધાન જી.જી.હોસ્પિટલના નવા રેડિયોથેરાપી વિભાગ, પી.જી.હોસ્ટેલ અને સમરસ હોસ્ટેલનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત અન્ય બેથી ત્રણ કામ પણ સરકારમાં મોકલવામાં આવ્યા છે. જેની મંજૂરી મળતા આ કામનું પણ વડાપ્રધાન લોકાર્પણ કરે તેમ અતરંગ સૂત્રોએ જણાવ્યું છે.

વડાપ્રધાનની મુલાકાતને અનુલક્ષીને કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં મહાનગરપાલિકાના કમિશનર પટેલ, એસપી ઉપસ્થિત રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.