તાજેતરમાં સુરતની આગ લાગવાની ઘટનામાં બાવીસ બાળકો પોતાના પ્રાણ ગુમાવ્યા હતા અને ઘટના બાદ સરકારી તંત્ર દોડતું થયું છે અને મહાનગરપાલીકા અને નગરપાલીકા વિસ્તારમાં તાત્કાલીક અસુરક્ષીત બિલ્ડીંગમાં ફાયર સુવિધા ઉભી કરવા માટે તંત્રએ નોટીસો જારી કરી હતી. ત્યારે આ ઘટના બાદ રિયાલીટી ચેક કરવા માટે અમારા રિપોર્ટર પ્રકાશ દવેએ સૌ પ્રથમ આવી નોટીસ આપનારા તંત્ર પાસે આ સુવિધા છે કે નહી તે વિષે પાલીકાના બાંધકામના એન્જીનીયર વિપુલભાઈ ચૌહાણની મુલાકાત લેતા તેઓએ જણાવ્યું હતુ કે હાલમાં આ સુવિધા ઉપલબ્ધ નથી પરંતુ અન્ય લોકોની સાથે નગરપાલીકા પણ આ સુવિધા ઉપલબ્ધ કરી લેશે તેવું જણાવ્યું હતુ ત્યારે અખબારના અહેવાલ બાદ નગરપાલીકાએ વીસ જેટલાના બાટલા પાલીકાની અલગ અલગ શાખામાં લગાવી દીધા છે. તેની પણ અમો જાણકારી આપી રહ્યા છીએ પરંતુ હજુ પણ સરકારી કચેરીઓમાં મામલતદાર કચેરી કે પોલીસ સ્ટેશનમાં આવી સુવિધાઓ નથી ત્યારે તમામ કચેરીઓમાં પણ આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે અને જે જગ્યાએ નોટીસ ફટકારી છે તેવી જગ્યાએ વહેલાસર ફાયર સેફટીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પાલીકા આગળ આવે તેવી શહેરીજનોની માંગણી કરી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ