ભાવનગરથી માંડીને ગીર સુધીનાં તમામ જિલ્લાઓમાં ફરતા સિંહોનાં ગૃપો હવે વનવિભાગની નજર હેઠળ આવી ગયા છે. એક ગૃપમાં એક સિંહ એમ કુલ 75 સિંહોને આ રેડિયો કોલર પહેરાવી દેવાની કામગીરી પૂરી થઇ ગઇ છે. આ રેડિયો કોલર અંગે સીસીએફ વસાવડા કહે છે, આ સાવજોનું મોનિટરિંગ જ્યાં થાય છે એ સેન્ટર સીધું જ સેટેલાઇટ સાથે કનેક્ટેડ હોય છે. એજ રીતે સિંહના ગળામાં રહેલું રેડિયો કોલર પણ સીધું જ સેટેલાઇટ સાથે કનેક્ટેડ હોય છે. જ્યારે સેટેલાઇટ ગીર પરથી પસાર થાય ત્યારે તે આ રેડિયો કોલરનું સ્થાન ડીટેક્ટ કરે. આ વખતે રેડિયો કોલરમાં જે ટાઇમર ગોઠવેલું હોય એ સમયે રેડિયો કોલર પણ પોતાનું લોકેશન દર્શાવતું સીગ્નલ સેટેલાઇટને મોકલે. એ રીતે રેડિયો કોલર થકી સિંહનાં આખા ગૃપનું સ્થાન જેતે સમયે ક્યાં છે એ નક્કી થાય.
Trending
- ડો. પ્રદીપ કણસાગરા લિખિત”કિડનીઓ અને તેની પથરીઓ” વિમોચન
- શું કહેશો તમે પણ આ ક્રૂઝની મુસાફરી કરવા આતુર છો ક નહીં ???
- મિલકતના જીયો ટેગીંગમાં પણ વેઠ ઉતારતી એજન્સી
- હેચબેક કરતાં ઓછી કિંમતમાં અને વધુ સલામતી સાથે ખરીદો આ SUV
- સીએની વિદ્યાર્થીનીએ સુસાઈડ નોટ લખી જીવન ટૂંકાવ્યું
- આંતરરાષ્ટ્રીય સ્તરે પંચાયતીરાજના મહિલા રત્નો કરશે ભારતનું પ્રતિનિધિત્વ
- Google માટે OpenAI બનશે માથાનો દૂ:ખાવો…?
- ભારત વિકાસ પરિષદ દ્વારા બે દિવસીય રીજયોનલ વર્કશોપ