વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર સંકુલની ત્રણેય શાળાઓ મારુતિનગર, રણછોડનગર અને નવા થોરાળામાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે અનેરી ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પૂર્ણિમાનાં પાવન પર્વ નિમિત્તે ગુરુને દાન-દક્ષિણા આપવાનો મહિમા છે પરંતુ સરસ્વતી વિદ્યામંદિર સંકુલમાં હંમેશાની જેમ જ ગુરુ પૂર્ણિમાનાં દિવસે ગુરુઓએ જ વિદ્યાર્થીઓને ભેટ-પુરસ્કાર આપી સન્માનિત-પ્રોત્સાહિત કર્યા હતા. સરસ્વતી વિદ્યામંદિર સંકુલમાં ગુરુ પૂર્ણિમાની વિશિષ્ટ ઉજવણી અવસરે વિદ્યાભારતી ગુજરાત પ્રદેશનાં સંગઠન મંત્રી તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં પ્રચારક મહેશભાઈ પતંગે અતિથીવિશેષ તરીકે ઉપસ્થિત રહીને શાળાનાં ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓને ઓલ અપ સ્કોલરશીપ યોજના હેઠળ રૂપિયા ૫૧ હજારથી વધુનાં ચેક, શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સમ્માનિત કર્યા હતા. સંસ્થાનાં ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે આ પ્રસંગે જણાવ્યુ હતું કે, સરસ્વતી વિદ્યામંદિર સંકુલમાં ગુરુ પૂર્ણિમાનાં દિવસે ઓલ અપ સ્કોલરશીપ યોજના હેઠળ કોઈપણ ધોરણમાંથી ઉપલા ધોરણમાં પ્રવેશેલા વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કારનાં ચેક, શિલ્ડ, પ્રમાણપત્ર આપી સન્માનિત અને પ્રોત્સાહિત કરવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાનાં પાવન પર્વ નિમિત્તે સંસ્થાનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો. બળવંતભાઈ જાની, ટ્રસ્ટી અનિલભાઈ કિંગર, રમેશભાઈ ઠાકર, હસુભાઈ ખાખી, અક્ષયભાઈ જાદવ, કીર્તિદા બેન જાદવ, પલ્લવીબેન દોશી, કેતનભાઈ ઠક્કર, રણછોડભાઈ ચાવડા સહિત શાળાનાં પ્રધાનચાર્યો અને શૈક્ષણિક સ્ટાફએ ગુરુ પૂર્ણિમા નિમિત્તે વિદ્યાર્થીઓને શુભાશિષ પાઠવ્યા હતા.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યની સરાહના થાય,નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો