પ્રખર ગૌસેવક, જીવદયાપ્રેમી, સંસ્કૃત અને
સંસ્કૃતિ પ્રેમી અને આર્ય સમાજ વ્યવસ્થામાં વ્યકિતગત અભિચી ધરાવતા ગુજરાતનાં નવનિયુકત રાજયપાલ આચાર્ય
દેવવ્રતજી સાથે રાજકોટ ખાતે રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં ચેરમેન ડો.વલ્લભભાઈ
કથીરિયાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ડો.વલ્લભભાઈ કથીરિયાએ રાજય અને
રાષ્ટ્રમાં ચાલતી ગૌસેવા પ્રવૃતિઓ અંગે રાજયપાલને માહિતગાર કર્યા હતા. ડો.વલ્લભભાઈ
કથીરિયાનાં અધ્યક્ષસ્થાને રચાયેલ રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા સમગ્ર રાષ્ટ્રમાં
ગૌમાતા અને ગૌવંશનાં રક્ષણ, સંવર્ધન અને
વિકાસનાં કાર્યનો શુભારંભ થઈ ચુકયો છે ત્યારે ડો.વલ્લભભાઈ કથીરિયા અને રાજયપાલ
વચ્ચે ગૌશાળા-પાંજરાપોળને સ્વાવલંબન તરફ વાળવા, ગૌ આધારીત
સંસ્કૃતિનું પુન:સ્થાપન, ગૌચર વિકાસ, ગૌ આધારીત
કૃષિ-આરોગ્ય, ગૌચરનું નવ નિર્માણ, પર્યાવરણ
અર્થે જનજાગરણ, ગૌપાલન, દેશીકુળના ગૌ
સંવર્ધનને પ્રોત્સાહન સહિતનાં અનેક મુદા ઉપર વિસ્તૃત પ્રેકટીકલ અને દષ્ટાંતો સહિત
પરીણામલક્ષી દિર્ઘ ચર્ચાઓ થઈ હતી. મહત્વનું છે કે, રાજયપાલ પોતે
પણ ૩૦૦ જેટલા દેશીકુળનાં ગૌવંશ, ગૌમાતાનું
સંવર્ધન કરી રહ્યા છે. આ પ્રસંગે રાજયપાલે સમગ્ર રાજયમાં ઓર્ગેનીક ફાર્મીંગનાં
વિકાસ અંગે પોતાની વિશેષ અભિચી
દર્શાવી હતી અને ઓર્ગેનીક ફાર્મીંગ ક્ષેત્રે ગુજરાત દેશ અને દુનિયામાં નમુનેદાર
કામગીરી કરશે તેવી શ્રદ્ધા દર્શાવી હતી. ગૌમાતાની પ્રતિમા, ગૌ મહિમા અંગે
કોફી ટેબલ બુક દ્વારા અને શાલ ઓઢાડીને કાંતાબેન કથીરિયા અને ડો.વલ્લભભાઈ કથીરિયાએ
રાજયપાલ આચાર્ય દેવવ્રતજીનું અભિવાદન કર્યું હતું.
Trending
- અધુરા માસે જન્મેલા ત્રણ બાળકોને ઘનિષ્ઠ સારવાર આપતી ઝનાના હોસ્પિટલ
- તમારી ખાઉધરી જીભ પણ ચા પીતી વખતે અનેક પ્રકારની વાનગીઓ શોધે છે તો…
- નાળિયેરનું પાણી સાતેય કોઠે ટાઢક આપી શરીરને બનાવે છે બળવાન
- આવતા સપ્તાહે કાઉન્ટિંગ સ્ટાફનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન, 20 ટકા રિઝર્વ સ્ટાફ રખાશે
- વકીલોની સેવા ગ્રાહક સુરક્ષાના દાયરામાં આવતી નથી: સર્વોચ્ચ અદાલત
- BMWએ ભારતમાં લોન્ચ કરી પોતાની વિસ્ફોટક બાઇક, જાણો તેના દમદાર ફીચર્સ
- CAA હેઠળ દેશમાં પહેલીવાર 14 લોકોને મળી નાગરિકતા
- કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતીનાં નવા નિયમો ઉમેદવારો માટે અન્યાયકર્તા