Abtak Media Google News

માં અને સંતાનનો પ્રેમ અદભુત હોય છે મા અને સંતાનના પ્રેમની કોઇ વ્યાખ્યા હોતી નથી. તેવા જ માં અને તેના માતૃત્વની વાત કરી એ તો તેના માટે વિશ્વ સ્તનપાન વિકની ઉજવણી કરવામાં આવે છે. માં તેના બાળકને જન્મતાની સાથે જ તેનું અમૃતરુપી દુધ પીવડાવે છે માના દુધના અનગીનત પોષણ, મીનરલ્સ હોય છે. માતાના દુધ મા રહેલી ગુણવતા અને તેના પોષણથી તેનું સંતાન હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. માતાના દુધથી બાળકને અમી મળે છે તેના રહેલું પોષણ બાળકને બીજા કોઇ પ્રવાહી કે ખોરાકમાંથી મળતું નથી. તેથી માતાએ પોતાના બાળકને સ્તનપાન કરાવવું જોઇએ સ્તનપાનથી બાળક નિરોગી રહે છે તે સ્તનપાન તેને લાઇફ ટાઇમ ઉપયોગી હોય છે.

બાળકના સ્તનપાન દરમ્યાન માતાએ પણ લીલા શાકભાજી, કઠોળ અને હેલ્ધી ફુડ ખાવા જોઇએ?

Vlcsnap 2019 08 05 12H27M05S928

વિભાબેન મેરજાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે તમામ માતાઓને નવું જન્મેલું તથા ૬ મહીના સુધીના બાળક માટે માતાનું દુધ એ સર્વોત્તમ છે. તેમાં વિટામીન, મીનરલ્સ, મળી રહે છે માતાના દુધ જેટલા પાવડર કે અન્ય માં પ્રોટીન હોતા નથી માતાના દુધથી બાળક ઝડપથી બીમાર પડતું નથી. તેમના મંડળ દ્વારા પ્રેગનેન્ટ બનનારી માતાને મલ્ટી વિટામીન ટેબલેટસનું વિતરણ કરે છે. પ્રેગનન્સી દરમિયાન ઘણા બધા મળી વિટામીનની ઉણપ રહે છે. શાકાહારી લોકોને ઘણા બધા વિટામીન મળતા નથી જે નોનવેજમાંથી
મળતા હોય છે. તેનાથી વિટામીનની ખામી રહેતી હોય છે. તેથી યુ.એસ. એની મલી વિટામીનનો કેસ મહીલાઓને આપે છે ગરીબ વર્ગની મહીલાઓને પુરા કોષની બોટલ આપે છે. આનાથી કોઇ આડ અસર થતી નથી આ તેમના દ્વારા ૯ લાખ ગોળીઓનું વિતરણ કરવામાં આવેલ છે. તેમના કેમ્પ અથવા તેમની સંસ્થા દ્વારા વિતરણ કરે છે. તંદુરસ્ત સમાજના કાર્યના આ રીતે સહયોગ આપે છે. તેમના દ્વારા દર રવિવારના મહીલાઓ માટે અવેરનેસ કેમ્પનું આયોજન કરે છે. માતાન તેના બાળકનું ઘ્યાન કઇ રીતે રાખવું કાળજી કઇ રીતે રાખવી તેના વિશેનું માર્ગદર્શન આપવામાં આવે છે. માતા એ બાળકને ૬ મહીના સુધી ફરજીયાત સ્તનપાન કરાવવું જોઇએ બહારનું ખાવા જોઇએ માતા તંદુરસ્તી હશે તો તેનું બાળક પણ તંદરુસ્ત રહેશે.

અબતક સાથેની વાતચીતમાં રાજ કામદારએ જણાવ્યું હતું કે નવજાત શિશુના નિષ્ણાંત અને બાળરોગના નિષ્ણાંત હું દશાશ્રીમાળી હોસ્પિટલ કોઠારીયા નાકે સેવા આપું છું અને મોટી હોસ્પિટલોમાં પણ હું સેવા આપું છું હાલ સ્તનપાન વીક ચાલી રહ્યું છે. આપણા માટે તે ખુબ જ સારી વાત છે.  બાળકને સ્તનપાન વીકની ઉજવણી કરીએ છીએ  ત્યારે દરેક માતાએ પોતાના નાના બાળકને સ્તનપાન કરાવું જોઇએ. અને સ્તનપાન એ બાળક માટે ખુબ જ સારું છે. અને માંના દૂધમાં બધા જ પ્રોટીન, વિટામીન, મલ્ટીવીટામીન અને ગીનરલ્સ હોયછે. જે બાળક માટે ખુબ જ સારું હોય છે ઘણી વખત માતા ગાયનું દૂધ આપે છે. જેનાથી બાળકને ઇન્ફેકશન થાય છે એના કરતાં માતાનું ઘાવણ એ જ સર્વશ્રેષ્ઠ છે. ૬ મહીના સુધી બાળકને માતાનું ઘાવણ જ આપવું જોઇએે

માઁના દુધમાં બધા જ પ્રોટીન, મલ્ટી વિટામીન અને મીનરલ્સ: રાજન કામદાર

Vlcsnap 2019 08 05 12H34M51S903

અને છ મહીના પછી જ કે વર્ષ બાદ બીજું  કઇ આપવું જોઇએ. ઘણી વખત એવું થાય છે કે માતા ટેન્શનમાં હોય છે ત્યારે માતા આવે છે. કે બાળક રડયા રાખે છે. માતાનું ફીડીંગ ઓછું પડે છે. એવી પરિસ્થિતિમાં માતાને ખુબ જ ઘ્યાન રાખવાની જરરુ છે. બાળક જયારે નબળુ છે. ૧ કિલોનું જ છે ને પેટીમાં રાખ્યું છે. ત્યારે બાળક ને બાટલા ઉપર રાખીને છીએ. બોટલએ નાના બાળક માટે ખુબ જ હાનીકારક છે. અને જેનાથી ઝેરી ઝાડા થઇ જાય છે. કે ઇન્ફેકશન થઇ જાય છે. બાળક જયારથી નાનું છે તયારે જ તેમને માતા સાથે ના હેતથી અને સ્તનપાન કરાવાથી તેમને બધી જ ખુશી મળી રહે છે. બાળક ને માતાનું ઘાવણ આપી શકે છે અને બધી જ માતાઓનું જણાવાનું કે તમે જેટલું બાળક ઘાવણ આપશો તેટલું જ બાળક નિરોગી રહેશે. અને નીરોગી રહેશે તો હસ્તુ ખેલતું બાળક બીમારીથી દુર રહેશે.

બોટલમાં દૂધ ખુબ જ હાનિકારક જે કયારેય આપવું ન જોઇએ: ડો. દર્શનાબેન પંડયા

Vlcsnap 2019 08 05 12H27M27S355

અબતક સાથેની વાતચીતમાં ડો. દર્શનાબેન પંડયાએ જણાવ્યું હતું .કે આશુતોષ મેટરનીટો એન્ટ સર્જીકલ હોસ્પિટલ એ કોટેચાનગર પર આવેલી છે. ગાયનેકોલોજીસ્ટ તરીકે માતા અને બાળકને જન્મ સમયે સૌથી વધારે સંભાળ કરતું હોય તે ગાયનેકોલોયસ છે. અને એ વાત માટે હું ઇશ્ર્વરની આભારી છું કે મને આ વ્યવસાયમાં સામીલ કરી છે બાળકનું પહેલું રુદન ગાયનકોલોજીસ ના હાથમાં થાય સ્તનપાન ચાલુ કરવામાં આવે છે. જન્મતા છોકરાના અડધી કલાકમાં જ જો સ્તનપાન ચાલુ થઇ જાય તો તેમના માટે સૌથી વધારે અગત્યનું અને બાળકને ઇન્ફેકશનથી બચાવી શકાય છે. કારણ કે ર૪ કલાકમાં બાળકને ઇમ્યુનોગ્લોબીલના હોય છે જે રોગપ્રતિકારક એન્ટીબોયોજીક હોય તે સૌથી વધારે હોય છે. જો મેડીકલના આજી ઇ નામના એન્ટી બેઝીક હોય જે બાળકને અમુક એલર્જીથી બચાવે અને રોગો સામે બચી શકે છે. જે બાળક ૬ થી ૮ મહીના સુધી માતાના ઘાવણથી પોષણ થયેલું હોય તો તેમને કેન્સરથી બચાવી શકાય. રાળકનો જન્મ કયા તબકકામાં થયેલો છે અને જે બાળકનો જન્મ સમયે તેમનો વજન કેટલો છે તેમના પરઅને બાળકની ચુસવાની ક્ષમતા પર આધારીત છે. અને તેમને દુધ આપી શકાય છે. બીજું એ કે માતાને બાળકને સ્તનપાન કરાવાની તીવ્ર ઇચ્છા થકી જ બાળકને વધુમાં વધુ દૂધ પીવડાવી શકે. તેવા સમયે બાળકને કઇ રીતુ હુંફ આપવી. તેને કાંગારુ કેર કહેવામાં આવે છે. બોટલમાં દૂધ ખુબ જ હાનીકારક છે. જે કયારેય આપવું ન જોઇએ બધી સ્ત્રીએ એ જ કહેવાનું બાળકનો જન્મ એ એક અદભુત છે. જયારે એક માતા બને છે તે સ્ત્રીના જીવનમાં સુખદ ઘટના છે. તેનો ભરપુર આનંદ માણે શારીરિક માનસીક રીતે માતાનું દુધ એ સર્વ શ્રેષ્ઠ છે.

૬ મહિના સુધી સ્તનપાન અવશ્ય કરાવવું: છાયાબેન રૈયાણી

Vlcsnap 2019 08 05 12H27M14S226

અબતક સાથેની વાતચીતમાં છાયાબેન રૈયાણીએ જણાવ્યું હતું કે પોતે એક માતા છે અને સ્તનપાન વીક વિશે બધી માતાઓ ને કહેવા માંગું છું કે ગર્ભવતી મહીલાઓને ખાસ કરીને એક મહીના બાળકનું ખુબ જ ઘ્યાન રાખે અને જે પહેલો મહીનો હોય છે અને માતાને ખબર પડે કે તે ગર્ભવતી છે એ દરમિયાન માતાએ ૩ મહીના ખુબ જ ઘ્યાન રાખવું પડે અને પછીના મહીને માતાએકેવો ખોરાક લેવો. અને એ જે ખોરાક લેકે તો બાળકને સારા પ્રમાણમાં મળી રહે છે. માતા જે કંઇપણ પોષણ યુકત આકાર ખાસે તે તેમના બાળકને પ્રોટીન મળે છે. બાળક જયારે જન્મે ત્યારે છ મહીના સુધી તો તેમને સ્તનપાન કરાવું જોઇએ અને જો તેમને એક વર્ષ સુધી કરાવે તો તે ખુબ જ સારુ રહે છે. અને દરેક સ્ત્રીને એક જ સંદેશો આપીશ કે ૬ મહીના સુધી સ્તનપાન કરાવો જ અને હું જયારે પ્રેગનેટ હતી ત્યારે ત્રણ મહીના સુધી હોમોગ્લોબીન ખુબ જ ઓછું થઇ ગયું હતું. ત્યારે મે: મલ્ટીવીટામીન ટેબલેટ લેવાનું ચાલુ કર્યુ તેનાથી મને ખુબ જ સારો ફાયદો થયો અને હું તદુરસ્ત અને મા બાળક પણ તંદુરસ્ત હતા અને ડોકટરે મને એવું પણ કહેલું કે ૯૯ ટકા તમને સીઝીરીયન આવશે તો તે દરમીયાન મલ્ટીવીટામીન ટેબલેટ ખાવાથી મારી ડીલેવરી નોરમલ છે. અને મારું બાળક પણ સ્વસ્થ અને તંદુરસ્ત છે.

માતાનું ધાવણ બાળક માટે સૌથી પહેલો ખોરાક: ડો. દિપા મણીયાર

Vlcsnap 2019 08 05 12H27M22S764

અબતક સાથેની વાતચીતમાં ડોકટર દીપા મણીયાર એ જણાવ્યું કે ગાયનેકોલોજીક તરીકે રપ વર્ષથી પ્રેકટીસ કરી હાલ એક ઓગષ્ટ થી ૮ ઓગષ્ટ બ્રેસ્ટમીલ્ક સેલીબ્રેસન તરીકે ઉજવામાં આવે છે. આપણા વડીલો જે વડવાઓ હતા તે બહું બધુ સારી રીતે સમજતા હતા. પણ મોર્ડન સમયમાં ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે આપણે જુનુ એટલું સોનુ એ ભૂલીને અને નવા પાછળ દોડીએ છીએ તેથી ઘણુ બંધુ આપણાથી છુટી જતુ હોય છેે બ્રેસ્ટ મીલ્ક એ જ માતાનું ધાવણ બાળક માટે સૌથી પહેલો ખોરાક છે એ અમૃત બરાબરછે. બાળક જયારે જન્મે અને રડવા અને ફીડીંગ કરાયા વગર કશું જ આવડતું નથી. એમને જે પણ અને પોતાની જે લાગણી છે તે બ્રેસ મીલ્સ વ્યકત કરે છે. અને ફીડીંગ થ્રુ જ વ્યકત કરે છે. માતા પોતાના બાળકને જયારે ડીલેવરી પછી પોતાની ગોદમાં ઉપાડે તેને વહાલ કરે એટલે શરીરમાં ઓકસીટોસી નામનો હોરમોન્સ હોય છે. તે ઉત્પન્ન થાય છે. અને જે બ્રેસ મીલ્ક છે તે દુધની ગ્રંથી વાટે રીલીસ કરે છે પ્રેગનેન્સી દરમિયાન દરમિયાન જ પાંચમાં છઠ્ઠા મહીનાથી જ દરેક માતાને સ્ત્રીઓને અમે નીપલની કેર લેવાનું સમજાવીએ છીએ. તેમાં તેમને કોઇપણ તેલ સાથે નીપલને મસાજ કરી અને પુલ કરવાની હોય છે એનાથી જે થોડું થોડું નીપલની અંદર બ્રેસ મીલ્ક નીકળે એના છીદ્રો હોય છે તે ખુલ્લે છે જે દૂધ બનવાની પ્રોસેસ હોય તેમાં પ્રોલેકટીન નામનો હોર્મોન્સ એકટીવ પુરે છે.

જે લેબર પેઇનની પ્રોસેસ દરમિયાન શરુ થાય છે એટલે કોઇપણ સ્ત્રી જયારે ૬ થી ૮ કલાકની ડીલેવરીનું પેઇન લે છે. દરમિયાન છાતીમાં દૂધનું બનવાનું અને રીલીસ થવાનું શરુ થાય છે પછી બાળક જે વહાલ કરે એનાથી ઇ રીલીઝ થાય છે. અને મોટાભાગની સ્ત્રીઓ એ એકાદ કલાકમાં જ સફળતા પૂર્વક સ્તનપાન કરાવી શકે છે. અમુક સેફ કંડીસન કે જેમા માતાને સીઝીરીયન થયું હોય બોવ પ્રો મીચીયોર બાળક હોય જુડવા બાળકો આવ્યા હોય ઓછા વજનના બાળકો હોય તો તેવા સમય એ બાળકને ધાવણ ન આપી શકતા હોય તેમાં થોડી સપોર્ટની જરુર હોય છે. એમાં તેમને બધી જ મદદ કરતા હોય છે. અતિરેક અધુરા મહીને આવેલ આવેલા અને પ્રીમીચીયોર બાળકો હોય તેવા કિસ્સામા એકસપ્રેસ બ્રેસ મીલ્ક મતલબ જે ધાવણ છે તેને કાઢીને જંતુ રહીત કરેલી બોટલ હોય એમાં આપવામાં આવે છે. એનાથી બાળકને બ્રેસ ટેમ્પ્રેચર માં ચાર કલાક સુધી વ્યવસ્થીત સચવાય શકેછે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.