આજે શ્રાવણ સુદને સાતમ એટલે કે શીતળા સાતમ છે. મહિલાઓ રાંધણ છઠ્ઠના દિવસે ચુલો ઠારે છે અને બીજા દિવસે એટલે સાતમના રોજ આજે આખો દિવસ ચુલો પ્રગટાવાતો નથી. શીતળા સાતમે પરિણીત મહિલાઓ, માતાઓ તેમના સંતાનોની સુખાકારી, સમૃધ્ધિ અને દીર્ધાષ્યુ માટે શીતલા માનું પૂજન કરે છે. અને એકટાણુ કરે છે. રાજકોટમાં બેડીપરા ખાતે આવેલ સુપ્રસિધ્ધ શીતળામાંના મંદિરે આજે ભવ્ય મેળો ભરાયો છે. અહી સવારથીજ સ્ત્રીઓ તેમના સંતાનોને લઈ ર્માંના દર્શનાર્થે ઉમટી પડી છે. આજે શીતળા ર્માંનું પૂજન, તેમજ શ્રીફળ કુલેરની પ્રસાદી ધરવામાં આવે છે. બેડીપરા શીતળા માંના મંદિરે સવારથી ભકતોની ભીડ જામી છે.
Trending
- શ્રુતિ હાસન સાથેના બ્રેકઅપના સમાચાર પર શાંતનુ હજારિકાએ કહ્યું આવુ
- ભારતીય કોસ્ટ ગાર્ડે નાર્કોટીક્સ સાથે પાક બોટને પકડી પાડી
- સવારે નાસ્તો બનાવવામાં મોડું થઇ જાય છે તો 10 મિનિટમાં ઇન્સ્ટન્ટ સ્પોન્જી ઇડલી બનાવો
- છત્તીસગઢમાં ઊભેલી ટ્રક સાથે પિકઅપ વાન અથડાતા 9ના મોત
- ઉનાળામાં આ બ્રાઈટ&ટ્રેન્ડી કલર્સના આઉટફિટ પહેરો, તમારા કૂલ લુકના વખાણ થશે
- સાયલન્ટ વૉકિંગ છે શું! જે સ્વાસ્થ્ય માટે અગણિત ફાયદા આપે છે
- ભૂલથી પણ મહાદેવને ન ચઢાવો આ વસ્તુઓ…
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો અને દિવસ પ્રગતિકારક રહે