Abtak Media Google News

મ્યુ. કોર્પો. સંચાલીત શાળામાં અભ્યાસ કરતા સમાજના દીકરા-દીકરીઓને સન્માનીત કરાશે: આગેવાનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

આગામી તા.પમી જાન્યુઆરીને રવિવારના રોજ ક્ષત્રીય રાજ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા તૃતીય ગુંદકી કા લાલ વિઘાર્થી સત્કાર સમારોહનું આયોજન અરવિંદભાઇ મણિયાર હોલ, જયુબેલી ગાર્ડન, રાજકોટ બપોરે ૨.૩૦ કલાકે કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં રાજકોટ મ્યુનિ. કોર્પો. સંચાલીત શાળાઓમાં અભ્યાસ કરતાં ક્ષત્રીય ગીરસદાર સમાજના દીકરા-દીકરીઓ જેમને ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરેલ છે. તેમને શિલ્ડ આપી સન્માનીત કરાશે તેમજ દરેક વિઘાર્થીઓને સ્કુલ બેગ અને નોટબુક પ્રોત્સાહનરુપે આપવામાં આવશે. આ કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર વિરેન્દ્રસિંહજી બી. જાડેજા (ધારાસભ્ય-માંડવી મુંદ્રા)  છે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન માંધાતાસિંહજી એમ. જાડેજા (ઠાકોર સાહેબ-રાજકોટ) જયરાજસિંહજી ટી.જાડેજા (ધારાસભ્ય ગોંડલ), નરેન્દ્રસિંહ એ. જાડેજા (કાર્યકરી પ્રમુખ રાજકોટ જીલ્લા રાજપુત સમાજ) ડો. જનકસિંહજી સી. ગોહિલ (મહીલા અને બાળ અધિકારી કલાસ-૧ રાજકોટ જીલ્લા) ગાયત્રીબા એ. વાઘેલા (પ્રદેશ પ્રમુખ ગુજરાત મહિલા કોંગ્રેસ) ડો. રેખાબા જાડેજા, (પ્રો. સૌરાષ્ટ્ર યુનિ. રાજકોટ) ડો. રૂદ્રદત્તસિંહજી જે.ઝાલા (પ્રૅમુખ ઝાલાવડ રાજપુત સમાજ) કિશોરસિંહજી ઝાલા (પ્રદેશ અઘ્યક્ષ યુથવિંગ અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ) વગેરે કાર્યક્રમમાં હાજરી આપશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના  પ્રમુખ ક્રીપાલસિંહ બી. રાણા સદાદ ઉપપ્રમુખ પૃથ્વીસિંહ જી. જેઠવા મોરાણા, પ્રવકતા દિગ્વીજયસિંહ અને વાઘેલા ધિંગડા મંત્રી શકિતસિંહ આર. વાઘેલા ભાડેર, સહમંત્રી રાજદીપસિંહ જાડેજા, વડાળી તેમજ સંકલન સમીતીમાં જયદીપસિંહ ગોહિલ માંડવા વિજયસિંહ જાડેજા માછરડા, નવલસિંહ જાડેજા આણંદ પર દિગ્વિજયસિંહ જાડેજા વાવડી રામચંદ્રસિં જાડેજા ખાખડા બેલા અજયસિંહ ગોહિલ રામણકા પુષ્પરાજસિંહ ગોહિલ, લંગાળા, કીતીરાજસિંહ જાડેજા વાધરવા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

આ કાર્યક્રમનું સંચાલન દિગ્વીજયસિંહ વાઘેલા  ધિંગડા દ્વારા કરવામાં આવશે. સૌ વડીલો, ભાઇ-બહેનો વિઘાર્થીઓને

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.