Abtak Media Google News

અમરનાથ યાત્રિયો પર સોમવારે થયેલા આતંકવાદી હુમલાને લઇને બોલિવુડના કિંગ શાહરૂખ ખાને ટ્વિટ કર્યુ છે. શાહરૂખ ખાને કહ્યુ કે, ‘નિર્દોષ લોકોની મૃત્યુથી દુ:ખ પહોંચે છે.’

 

શાહરૂખ ખાને કહ્યુ કે, ”હું આ આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોનો મૃત્યુ થવાથી દુ:ખી છું, પીડિતો પરિવારને ભગવાન શક્તિ આપે.” શાહરૂખે આગળ કહ્યુ કે, ”આ હુમલા બાદ પણ યાત્રાળુએ યાત્રા ચાલુ રાખી છે. આસ્થા તમને બહાદુર બનાવે છે અને ડર તેમજ આંતકવાદની સામે જીત અપાવે છે.”

 

શાહરૂખ ખાન સિવાય બોલિવુડના કેટલાય સેલેબ્સે અમરનાથ યાત્રાળુઓ પર થયેલા આંતકવાદી હુમલાની ટીકા કરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.