એકબાજુ લોકડાઉન અને બીજીબાજુ કાળઝાળ ગરમીથી લોકો અકળાઈ રહ્યાં છે. લોકડાઉનને પગલે ઠંડાપીણાની દુકાનો, શેરડીના ચીચોડા વગેરે બંધ હોય લોકો કામ સબબ રસ્તે જતા ગરમીમાં ખુબ હેરાન પરેશાન થઈ જાય છે. આ વખતે જો ઠંડાપીણા-સોડાની દુકાનો ખુલી હોય તો તેનાથી પ્યાસ બુજાવી શકાય છે. આ કાળજાળ ઉનાળાને ધ્યાને લઈ શહેરના જાગનાથ પાસે એક શાકભાજીના લારી ધારક દર્દીઓને તથા રસ્તે નીકળતા લોકોને ઠંડુ-શક્તિપ્રદાન કરતું લીંબુ શરબત પીવડાવી ઠંડક પ્રદાન કરી રહ્યાં છે. લારી લઈને શાકભાજી વહેંચી ગુજરાન ચલાવતા લીલચંદભાઈ દરરોજ અંદાજે ૧૦૦ થી વધુ લીંબુ શરબતના ગ્લાસ લોકોને પીવડાવી તરસ્યા લોકોની તરસ છીપાવી રહ્યાં છે. વેપારની સાથે સાથે છેલ્લા ઘણા દિવસથી લીલાચંદભાઈ આ માનવતા પ્રવૃતિ કરી રહ્યાં છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ