વિશ્વભરના મુસ્લિમ સુમદાયના સૌથી મહત્ત્વના પવિત્ર રમઝાન મહિનાનું સમાપન થતા મુસ્લિમ સમુદાયે અલ્લાહનો શુક્ર અદા કરવા ઈદ-ઉલ-ફિત્રના પવિત્ર દિવસે જામનગર શહેર, જિલ્લામાંના તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુસ્લિમ સમુદાય દ્વારા સરકારના આદેશ અનુસાર મસ્જિદમાં ચાર વ્યક્તિ અને ઘરે-ઘરે ઈદની ખાસ નમાઝ અદા કરી અલ્લાહના શુક્ર ગુજારી સર્વે માટે ખાસ દુઆ કરવામાં આવી હતી. આપણા દેશમાંથી કોરોના વાઈરસનો ખાત્મો થઈ જાય તે માટે મસ્જિદોમાં અને ઘરે-ઘરે દુઆ કરવામાં આવી હતી. છેલ્લા દોઢ-બે મહિનાથી લોકડાઉનના કારણે આ વખતે ઈદની ખાસ ખરીદી કરવામાં મંદી જણાતી હતી. લોકો પાસે પૈસા ખૂટતા નિરસ વાતાવરણમાં ગમગીની તરીકે ઈદની ઉજવણી કરવામાં આવી હતી. જુનાગઢથી વરિષ્ઠ પત્રકાર અબ્બાસબાપુ ચિસ્તીએ જે જગ્યા હો ત્યાંથી દુઆ કરો કે આ મહામારીનો અમારા દેશમાંથી ખાત્મો થાય. ઘરે રહો અને સલામત રહો તેવી ખાસ દુઆ કરવામાં આવી હતી.
Trending
- રક્ષામંત્રી રાજનાથ સિંહે આ બેઠક પરથી ભર્યું ઉમેદવારી પત્ર
- સુરત: PCB અને SOG ને મળી મોટી સફળતા
- સુરેન્દ્રનગર : મહિલા પાસેથી હેરોઇન ઝડપાયું
- CM કેજરીવાલને મળવા સુનીતા કેજરીવાલ અને દિલ્હીના મંત્રી આતિશી તિહાડ જેલ પહોચ્યા
- ‘ફક્ત મહિલાઓ માટે’ પછી હવે આવશે ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’ જાણો ક્યારે રિલીઝ થશે
- માંગરોળની જીવાદોરી ઓઝત ડેમમાં પાણી હોવા છતા પાણીના ધાંધીયા
- ચારધામ યાત્રા માટે 15 લાખથી વધુ શ્રઘ્ધાળુઓએ કરાવી નોંધણી
- ઘડિયાળ ઉદ્યોગના કાંટા “ઉંધા” ફરવાના શરૂ