જૂનાગઢના ઉપલા દાતાર સહિતની જગ્યા તથા વન વિસ્તારમાં આવેલ પ્રસિદ્ધ મંદિરો ખૂલી જવા પામ્યા છે. ગત તા. ૮ થી ગુજરાત સરકારના પરિપત્ર મુજબ મોટાભાગના ધામિઁક સ્થાનો ખુલ્લા મુકાયા હતા, પરંતુ અભયારણ્ય અને વન વિસ્તારમાં આવતા ધર્મ સ્થાનો અંગેનો વિશેષ પરિપત્ર ન થવાથી વન વિભાગ દ્વારા ઉપલા દાતાર વન વિસ્તારમાં આવતા મંદિરો જગ્યા પર ભાવિકોને દર્શને જવાની પરવાનગી આપી ન હતી. જેને ધ્યાને લઈને જુનાગઢ ભાજપના ઉપાધ્યક્ષ અને ઉપલા દાતારની જગ્યાના ટ્રસ્ટી યોગેન્દ્રસિંહ પઢિયારે જુનાગઢ ભાજપના અધ્યક્ષ શશીકાંતભાઈ ભીમાણીને ધ્યાને વાત મુકી હતી, અને આ બાબતે તુર્તજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ટેલીફોનીક રજુઆત કરી હતી. દરમિયાન જૂનાગઢના ભાજપના અગ્રણીઓ દ્વારા કરાયેલી રજૂઆતોને ધ્યાને લઈને ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન શ્યામલ ટીકાદાર દ્વારા એક પરિપત્ર કરીને વન તથા અભયારણ્ય વિસ્તારમાં આવતી દરેક ધામિઁક જગ્યાઓ ભાવિકોના દશઁન માટે ખોલી આપવામાં આવી હતી
Trending
- પ્રામાણિક કરદાતાઓએ એડવાન્સ વેરો ભરી કોર્પોરેશનની તિજોરી છલકાવી
- મેટોડામાં હિટ એન્ડ રન : વર્ના કારની ઠોકરે શ્રમિક પરિવારના માતા-પુત્રનું મોત
- ટંકારામાં ગાજવીજ સાથે દોઢ ઇંચ, ખાંભામાં પોણો ઇંચ વરસાદ
- ભારત સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પુ. મુકતાનંદજી બાપુનો આજે 66મો પ્રાગટ્યોત્સવ
- સુપ્રીમ કોર્ટ બાર કાઉન્સિલના પ્રેસિડેન્ટ તરીકે સતત ચોથી વખત કપિલ સિબ્બલ ચૂંટાયા
- તંત્ર જમીન સંપાદન કરતા પૂર્વે માલિકને ‘માલિકીપણા’થી વંચિત ન રાખી શકે: સુપ્રીમ
- સોના પાછળ ચાંદીમાં પણ ચાંદી હી ચાંદી: ભાવ રૂ.88 હજારે આંબ્યો
- મોરબી: પ્રિમોનસુન કામગીરી માટે તંત્રને સાબદુ કરતા કલેકટર ઝવેરીનો આદેશ