રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ ડિ.કે.સખીયા તથા મહામંત્રી ભાનુભાઈ મેતાએ રાજકોટ જીલ્લા ભાજપા કાર્યાલય ખાતે ભારતીય જનસંઘના સંસ્થાપક અને પ્રખર રાષ્ટ્રવાદી ચિંતક ડો.શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથી નિમિત્તે પુષ્પાંજલિ અર્પી શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું હતું કે, પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિ દાખવી દેશહિતમાં નિર્ણય લઈને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫-એ હટાવીને ડો.શ્યામાપ્રસાદ મુખર્જીનું સ્વપ્ન સાકાર કર્યું છે. ડો.મુખર્જીએ રાષ્ટ્રવાદના આધાર પર જનસંઘની સ્થાપના કરીને એલાન કર્યું હતું. એક દેશ મેં દો વિધાન, દો પ્રધાન નહિ ચલેંગેના સૂત્ર સાથે લડત લડીને દેશની એકતા અને અખંડિતતા માટે થઇ તેને કુરબાની આપી છે. જેને દેશ કાયમ યાદ રાખશે. આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં બાબુભાઈ નસીત, ગીરીશભાઈ પરમાર, શૈલેશભાઈ અજાણી, ભાસ્કરભાઈ જશાણી, પ્રવીણભાઈ સેગલીયા, અરુણભાઈ નિર્મળ, ભરતભાઈ રબારી, દિનેશભાઈ વીરડા, રજનીભાઈ સખીયા, હિરેનભાઈ જોશી, અલ્પેશભાઈ અગ્રાવત, વિવેકભાઈ સાતા, કિશોરભાઈ રાજપૂત, હરેશભાઈ રૈયાણી સહીતના જીલ્લાના તથા તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- નવા ફોજદારી કાયદાના અમલ પહેલા જ સુપ્રીમ કોર્ટે સવાલો ઉઠાવ્યા
- આગામી સપ્તાહે ખુલશે 3 IPO …..રોકાણકારો થશે માલામાલ
- ઘરેલુ હિંસામાં કલમ 498નો ઉપયોગ બંધ કરવાનો સમય પાકી ગયો : સુપ્રીમ
- લ્યો બોલ હવે આ કારણથી ઓડિશાની પુરી સીટ પરથી કોંગ્રેસના ઉમેદવારે મેદાન છોડ્યું
- ઇફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડીયા અને બિપીન પટેલ વચ્ચે ટક્કર
- વાંકાનેર:પુત્રીના અપહરણની આશંકાએ બે યુવકોનું અપહરણ કરી માર માર્યો
- સ્કૂટર માં પણ હવે સીએનજી : ક્રૂડ પરનું ધારણ ઘટાડવા સરકારનો માસ્ટર પ્લાન્ટ
- બ્રિટનના પૂર્વ વડાપ્રધાનને મતદાન મથકેથી લીલા તોરણે પાછા વાળી દેવાયા!!