બિહાર, ઉત્તરપ્રદેશ અને ઝારખંડના અનેક વિસ્તારોમાં ગત દિવસોમાં આકાશી વીજળી પડવાને કારણે ૧૧૦ થી વધુ લોકોએ જાન ગુમાવ્યા છે. પ્રતિ વર્ષ ચોમાસાની ઋતુમાં વીજળી પડવી એ સામાન્ય ઘટના છે. પરંતુ આ સાલ બિહાર યુ.પી જેવા પ્રદેશોમાં આકાશી વીજળીએ વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને તેને લીધે અત્યાર સુધીમાં દેશના ફક્ત ત્રણ રાજ્યોમાં જ ૧૧૦ લોકોએ પોતાનાં પ્રાણ ગુમાવ્યા છે. આ તમામ મૃતકોને પૂજ્ય મોરારિબાપુ તરફથી શ્રી હનુમાનજીની સાંત્વના રૂપે પ્રત્યેક મૃતકના પરિવારજનોને પાંચ હજારની તત્કાલ સહાય મોકલવામાં આવી રહી છે. બિહાર તેમજ ઉત્તરપ્રદેશ વિસ્તારના રામકથાનાં શ્રોતાઓ દ્વારા આ સહાય પહોંચાડવામાં આવશે. આ સહાયની કુલ રાશી સાડા પાંચ લાખ થવા જાય છે. તેમ જયદેવભાઈ માંકડે જણાવ્યું હતુ.
Trending
- અંબાલાલની આગાહી સાચી ઠરી…રાજ્યમાં ઠેર ઠેર વરસાદની શરૂઆત
- તમે પણ આ ફળોને ફ્રિજમાં રાખવાની ભૂલ કરી રહ્યા છો..?
- આજના યુગમાં દુષ્કર્મ “ચિંતા” અને “ચિંતન”નો વિષય
- કોર્પોરેશનના સ્પે.સિટી એન્જિનિયર અલ્પના મિત્રાનું રાજીનામું
- ગ્લોબલ વોર્મિંગે હિટવેવની સાથે વરસાદની પેટર્નને પણ વધારી
- ચાબહાર પોર્ટ મેળવી ભારત એક કાંકરે અનેક લક્ષ્યો સિદ્ધ કરશે
- યુવા ભાજપ પ્રમુખ કિશન ટીલવાના ભાઈનું સાયલા-ચોટીલા હાઇવે પર માર્ગ અકસ્માતમાં મોત
- વી.વી.પી. કોલેજ દ્વારા કારકીર્દી ઘડતર સેમિનારમાં અપાયું સચોટ માર્ગદર્શન