Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધારે ના ફેલાય તે  હેતુથી જિલ્લા આરોગ્ય તંત્ર અને શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ લાયન્સ કલબ, ઝાલાવાડ  ફેડરેશન અને વેપારી મહામંડળ દ્વારા સુરેન્દ્રનગર શહેરના વિવિધ વિસ્તારોમાં  લોકોને જાગૃત કરવા માટે અંદાજે ૫૦૦૦ જેટલા માસ્કનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

તદ્ઉપરાંત કોરોના સામે  કેવી રીતે સાવચેત રહેવું તે માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું અને વેપારીઓને ખાસ સુચના આપવામાં આવી હતી કે, બહારથી આવનાર તમામ ગ્રાહકો માસ્ક પહેરીને આવે તથા માસ્ક વિના કોઇ ગ્રાહક ન આવે તેની ખાસ તકેદારી રાખવામાં આવે તેમજ વેપારીઓને દુકાનમાં સેનેટાઇઝનો ઉપયોગ કરવા અને સોશ્યલ  ડિસ્ટન્સ રાખવા જેવી બાબતોથી અવગત કરવામાં આવ્યા હતા.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.હુડ્ડા  તેમજ આરોગ્યકર્મીઓ  અને વેપારીઓ  સહિત સ્વૈચ્છિક સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત  રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.