ભારતીય પ્રાચીન સંસ્કૃતિ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ જયારે મથુરાથી ગોકુળ અને ત્યાંથી વૃંદાવન આવે ત્યારે શ્રી કૃષ્ણ રાધાને હિંડોળે ઝુલાવતા હતા ત્યારથી આ પ્રાચીન પરંપરા આજદિન સુધી ‘હિંડોળા ઉત્સવ’ તરીકે ઉજવાય છે. વૈશાખ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી આ ઉત્સવ મનાવવામાં આવે છે. સ્વામીનારાયણ પરંપરામાં હિંડોળા ઉત્સવનું ખૂબ જ મહત્વ છે. હિડોળા ઉત્સવનો પ્રારંભ થઇ ચૂકયો છે. ત્યારે શહેરના ભૂપેન્દ્રરોડ પર આવેલ સ્વામીનારાયણ મંદિર ખાતે તેમજ હવેલી ખાતે કલાત્મક હિંડોળા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ભુપેન્દ્ર રોડ પર આવેલ સ્વામીનારાયણ મંદીરના રાધા રમણ સ્વામીએ અબતક મીડીયા સાથેની વાતચીતમા જણાવ્યુ હતુ કે ભારતીય સંસ્કૃતીમાં ભગવાન શ્રી કૃષ્ણ જયારે મથુરાથી ગોકુળ અને ત્યાંથી શ્રી કૃષ્ણ રાધાને હીડોળે જુલાવે છે ત્યારથીઆ પરપરા ચાલતી આવી રહી છે. સ્વામી નારાયણ સંપ્રદાયમાં સ્વામીનારાયણ ભગવાન જયારે વડતાલમા પઘારે છે ત્યારે અસંખ્ય ભકતો દ્વારા પોતાના ભાવને પૂર્ણ કરવા માટે વડતાલમા આવેલ ૧૨ દરવાજાનો હીંડોળો છે ત્યાં સ્વામીનારાયણ ભગવાન બાળ સ્વરૂપે બીરાજી ભકતોને દર્શન આપે છે. આ રીતે જ વૈષ્ણવી પરંપરા અને સ્વામીનારાયણ પરંપરામા હીડોળાનુ ખૂબ મહત્વ છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યની સરાહના થાય,નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો