મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી રાજકોટ શહેરના આજી-૧ ડેમ ગત મોડીરાત્રે છલકાઇ જતાં તેમના વધામણાં કરવા એરપોર્ટ થી સીધાજ ડેમ પર પહોંચી ગયા હતા. અને નીરના વધામણા કર્યા બાદ આ પ્રસંગે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે ગત ૨૯મી જુને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજી ડેમ ખાતે નર્મદા નીરના વધામણા કર્યા હતા. ત્યારબાદ બરાબર એક મહીના પછી કુદરતની કૃપાથી આજરોજ ૨૯મી જુલાઇના રોજ મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ આજી ડેમ છલકાઇ જતાં નીરના વધામણાં:કરેલ છે. અને ડેમ પણ ૨૯ ફુટની ઉંચાઇ ધરાવે છે. આમ ૨૯મી તારીખ રાજકોટ માટે શૂકનીયાળ સાબીત થઇ છે. હાલ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને કારણે ઉભી થયેલ આપાતકાલીન પરીસ્થિતીમાં રાજયના વહિવટી તંત્ર અને એનડીઆરએફ તેમજ ભારતીય હવાઇ દળ તથા સ્વૈચ્છિક સંસ્થાઓ વગેરેના સહયોગથી મહામુલી માનવ જીંદગી બચાવાઇ છે અને હાલ પરિસ્થિત સૂંપર્ણપણે કાબુમાં છે.
Trending
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી
- અટલ સરોવરમાં પ્રથમ દિવસે જ 10 હજારથી વધુ સહેલાણીઓ ઉમટ્યા