સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આવતીકાલથી મેડિકલ, પેરામેડિકલની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. હાલ કોરોનાનાં કપરા કાળમાં યુનિવર્સિટી દ્વારા બેચરલ ફાઈનલ વર્ષ સિવાયનાં તમામ રેગ્યુલર અને એટીકેટી ધરાવતા વિદ્યાર્થીઓને મેરીટ બેઈઝ પ્રમોશન આપવા એનએસયુઆઈ દ્વારા માંગ કરવામાં આવી છે જેને લઈ આજે એનએસયુઆઈ દ્વારા કુલપતિ ડો.નિતીન પેથાણીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. એનએસયુઆઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કોવિડ-૧૯ની મહામારીને જોતા કોઈપણ વિદ્યાર્થી પરીક્ષા આપવા માનસિક રીતે સક્ષમ નથી. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એક સમાન હોવા જોઈએ તો યુનિવર્સિટીએ જેમ બેચરલનાં ફાઈનલ વર્ષ સિવાયનાં જે-તે ફેકલ્ટીનાં વિદ્યાર્થીઓને મેરીટ બેઈઝ માસ પ્રમોશન આપ્યું છે તેમ બીએચએમએસનાં અને બેચરલની ફેકલ્ટીનાં કેટી અને રેગ્યુલરનાં વિદ્યાર્થીઓને મેરીટ બેઈઝ પ્રમોશન આપવામાં આવે તેવી અમારી માંગ છે અને જો આગામી દિવસોમાં અમારી માંગ સંતોષવામાં નહીં આવે તો રાજકોટ એનએસયુઆઈ વિદ્યાર્થીઓને સાથે રાખી આક્રમક કાર્યક્રમ કરશે.આજના આવેદનમાં રાજકોટ શહેર વિદ્યાર્થી યુનિયન પ્રમુખ નરેન્દ્ર સોલંકી, ભાવેશ રાજપુત, નીલરાજ ખાચર, દિપક કારેલીયા, કર્મદિપસિંહ જાડેજા, સાગર જેઠવા, રવિ રાઠોડ, દિગપાલસિંહ જાડેજા સહિતનાઓ જોડાયા હતા.
Trending
- યુરોપ માટે ખતરે કી ઘંટી: સ્લોવેકિયાના વડાપ્રધાન પર 71 વર્ષના વૃદ્ધે કર્યું અંધાધૂંધ ફાયરિંગ
- યુકેમાં બોગસ વર્ક પરમીટને લઈને હજારો લોકો ફસાયા
- ઉનાળામાં દ્રાક્ષમાંથી બનતી 2 વાનગીઓ, ટેસ્ટી અને હેલ્ધી પણ
- શું આપ જાણો છો? ક્યાં પરિબળોને કારણે આવે છે હીટવેવ?
- ખંભાળીયા: પ્રિ-મોનસુન કામગીરીમાં કચાસ ન રહે તે માટે તંત્ર પ્રયત્નશીલ
- જો તમે પણ એક દિવસમાં અનેક કપ ચા પીતા હોવ તો આ સમાચાર તમારા માટે છે…
- હરીદ્વારમાં ગજેરા પરિવાર દ્વારા યોજાઇ શિવકથા
- પુત્રીને મારી નાખવાના કેસમાં પ્રેમાંધ માતાનો હાઇકોર્ટે છુટકારો કર્યો