રાષ્ટ્રીય કામધેનું આયોગ દ્વારા ગૌમય ગણેશ બનાવવા અંગેનો વેબીનાર યોજાશે. રાષ્ટ્રીય કામધેનું આયોગના અઘ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઇ કથીરીયાના માર્ગદર્શનમાં યોજનાર આ વેબીનારમાં વકતા તરીકે ડો. ભાગ્યશ્રી ભકને (સ્વાનંદ ગોવિજ્ઞાન અનુસંધાન કેન્દ્ર, નાગપુર) નીરજ ચૌધરી (બંસી ગૌધામ, કાશીપુર, ઉતરાખંડ) માર્ગદર્શન આપશે. ગોમય ગણેશ અંગેનું પ્રશિક્ષણ ડો. જીતેન્દ્ર ભકતે (સ્વાનંદ ગોવિજ્ઞાન અનુસંધાન કેન્દ્ર, નાગપુર) આપશે. આ પ્રશિક્ષણ વેબીનારનું સંચાલન પુરીશકુમાર (આઇ.ટી. તથા મીડીયા રાષ્ટ્રીય કામધેનું આયોગ) કરશે. આત્મ નિર્ભર ભારત, વોકલ ફોર લોકલ અભિયાન અંતર્ગત અને ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્ન મુજબનું આત્મ નિર્ભર ભારત બનાવવા તેમજ ‘ગૌમય ગણેશ’ અંગેનો આ પ્રશિક્ષણ વેબીનારમાં જોડાવવા માટે તા. ર૯ જુલાઇ બુધવારના બપોરે ૧ર થી ર કલાકે દરમ્યાન meet.google.com/ess-rrzi-imi ની લીંક પર સંપર્ક કરવા રાષ્ટ્રીય કામધેનું આયોગની મીડીયા ટીમના મિતલ ખેતાણીએ વિનંતી કરી છે.
Trending
- નશાનો કાળો કારોબાર : સુરત SOG એ MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પડ્યો
- પરિણામ માટે ર7 દિવસનો ઇંતજાર: નેતાઓના જીવ અઘ્ધર
- અક્ષય તૃતીયા પર બનતા શુભ સંયોગથી આ રાશિના જાતકોને થશે લાભ
- Appleના Let Loose Eventમાં કંપનીએ લોન્ચ કર્યા નવા અને અત્યધુનિક ઉપકરણો…
- સોમનાથના દરિયામાં 18 વર્ષીય યુવાન તણાયો
- મતદાન વેળાએ વડાપ્રધાનનો રોડ શો જેવો માહોલ: આચારસંહિતાનો ભંગ
- તેલંગણામાં ભાજપ માટે સારા સંકેતો : બેઠક વધવાના એંધાણ
- વર્ષી તપના તપસ્વીઓ અક્ષય તૃતીયાના દિવસે તપની કરશે પુર્ણાહુતિ