રાજકોટમાં કોરોનાએ અજગરી ભરડો લીધો છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્ય સરકારના આરોગ્ય સચિવ જયંતી રવીને પાંચ દિવસ માટે ખાસ રાજકોટ મોકલ્યા છે. આ ઉપરાંત ૧૫ નિષ્ણાંત તબોબોની પણ રાજકોટ માટે ખાસ ફરજ નિયુક્ત કરાયા છે. ગઈકાલથી રાજકોટ આવી પહોંચેલા આરોગ્ય સચિવ જયંતી રવિએ આજે સવારે સિવિલ હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝીટ લીધી હતી. હોસ્પિટલમાં કેટલીક ખામીઓ દેખાતા સ્ટાફને તતડાવી નાખ્યો હતો. આ ઉપરાંત તેઓએ મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલને સાથે રાખી શહેરના વોર્ડ નં.૧,૭,૯,૧૦ અને ૧૪માં આવેલા કોર્પોરેશનના અલગ અલગ આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લઈ ત્યાં ચાલી રહેલી આરોગ્યલક્ષી કામગીરીની ચકાસણી કરી હતી. ધનવંતરી રથની કામગીરીનું પણ તેઓએ નિરીક્ષણ કર્યું હતું. શહેરમાં સતત કોરોનાના કેસો વધી રહ્યાં છે. આજે બપોર સુધીમાં ૪૨ નવા કેસ નોંધાયા હતા.
Trending
- EXCLUSIVE : રાજકોટમાં લાયસન્સ કૌભાંડનું ભૂત ધુણ્યું : ડ્રાયવિંગ ટેસ્ટ આપ્યા વિના લાયસન્સ કાઢી આપવાનો દાવો
- ‘ઇમોશનલ ઈટિંગ’ શરીરને રોગોનું ઘર બનાવી શકે છે
- સૌરાષ્ટ્રભરના નાના-મોટો પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટોને એક પ્લેટફોર્મ પર લાવવાનો ઉદેશ્ય: કેતન મહેતા
- મજબૂરીથી ભિક્ષાવૃત્તિ કરનાર દીકરીને ભણી ગણીને પગભર થવા ની “મહેચ્છા”
- બહુમાળીમાં જાતિના દાખલા માટે વધારાના ત્રણ ટેબલ અને કોમ્પ્યુટર મુકાયા
- ટૂંક સમયમાં લોન્ચ થશે નવી itel સ્માર્ટવોચ યુનિકોર્ન, જેને ગળામાં નેકલેસની જેમ પહેરી શકાશે
- EDએ કેજરીવાલ અને AAP વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી
- રાજકોટ કેન્સર સોસાયટીમાં બાળકોમાં થતાં કેન્સરની રાહત દરે અપાતી સારવાર