રાજકોટ શહેરની ભાગોળે રેસકોર્ષ-૨માં અટલ સરોવર નિર્માણાધીન છે. અટલ સરોવરનું કુલ ક્ષેત્રફળ ૨,૯૩,૪૫૭ ચોરસ મીટર છે. જેમાં કુલ ૯૨,૮૩૭ ચોરસ મીટર વિસ્તારમાં પાણીનો સંગ્રહ થશે, સમગ્ર ડેવલોપમેન્ટ પ્રોજેકટની કિંમત ૧૩૬ કરોડ અને સમય મર્યાદા ૨૪ મહિનાની રહેશે. અટલ સરોવરમાં ગાર્ડન, લેન્ડ સ્કેપિંગ, બોટોનિકલ ગાર્ડન, બોટોનિકલ કલોક, સાઈકલ ટ્રેક,પાર્કિંગ એરિયા,વોક-વે, પાર્ટી પ્લોટ, ૨ એમ્ફીથિયેટર, આઈલેન્ડ, મોન્યુમેન્ટલ ફલેગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સ્કુલ તેમજ આંગણવાડીનાં બાળકોને અટલ સરોવરમાં વિનામુલ્યે પ્રવેશ આપવામાં આવશે. આ સરોવરના વિસ્તારમાં ગ્રામહાટ તેમજ અન્ય ઉપયોગ માટે કુલ ૪૨ દુકાનોનું નિર્માણ કરવામાં આવશે. અટલ સરોવર થકી રાજકોટ શહેર તથા આસપાસના વિસ્તારના લોકોને હરવા ફરવા તેમજ મનોરંજન માટેનું એક નવું સ્થળ મળી રહેશે.
Trending
- ભારત સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પુ. મુકતાનંદજી બાપુનો આજે 66મો પ્રાગટ્યોત્સવ
- સુપ્રીમ કોર્ટ બાર કાઉન્સિલના પ્રેસિડેન્ટ તરીકે સતત ચોથી વખત કપિલ સિબ્બલ ચૂંટાયા
- તંત્ર જમીન સંપાદન કરતા પૂર્વે માલિકને ‘માલિકીપણા’થી વંચિત ન રાખી શકે: સુપ્રીમ
- સોના પાછળ ચાંદીમાં પણ ચાંદી હી ચાંદી: ભાવ રૂ.88 હજારે આંબ્યો
- મોરબી: પ્રિમોનસુન કામગીરી માટે તંત્રને સાબદુ કરતા કલેકટર ઝવેરીનો આદેશ
- વૈજ્ઞાનીકે આ વૃક્ષ વિષે કઇંક આવું કહ્યું….જાણીને સૌ કોઈ ચોંકી ગયા
- સુરતમાં કોથળામાંથી મળી આવેલી લાશનો ભેદ ઉકેલાયો : હથોડા મારી પતાવી દેવાયો’તો
- ક્ષત્રિય સમાજે તલવારો મ્યાન કરી:ભાજપ સામેના આંદોલનને “વિરામ”