મુસાફરોની ભીડ ન થાય, સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે, કોરોનાનુ જોખમ ન વધે તે માટે રાજકોટ વિભાગીય એસટી દ્વારા મુસાફરોના પ્રવાસ દરમિયાન સઘન પગલાં લેવામાં આવ્યા છે. સ્ટાફ દ્વારા સંક્રમણ ન થાય તે માટે રાજકોટ એસ ટી કચેરીના સો ટકા સ્ટાફનો એન્ટીજન ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. રાજકોટ એસ.ટી વિભાગીય નિયામક યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે જયારથી લોકડાઉન શરૂ થયું ત્યારથી એસટી સંચાલન બાબતે સરકારની સેનેટાઇઝડ, સોશિયલ ડિસ્ટન્સીન્ગ, માસ્ક ફરજિયા , થર્મલ ગનથી સ્ક્રીનીંગ સહિતની તમામ માર્ગદર્શિકાનું પાલન કરી જરૂરી ટીમો બનાવીને એસ.ટી.ડેપોમાં ટ્રીપોની કામગીરી કરવામાં આવેલ છે. લોકડાઉન દરમિયાન બહારના મજૂરોને વતન પહોંચાડવા ૫૦૦ ટ્રીપનુ સંચાલન કરવામાં આવ્યું હતું . રેલ્વે સ્ટેશન સુધી શ્રમિકોને પહોંચાડવા ૧૧૦૦ ટ્રીપનુ સંચાલન કરવામાં આવેલ છે. વધુમાં મુસાફરોને ફરજિયાત માસ્ક પહેરવાનું, પ્રવેશ દરમિયાન ડેપોમાં થર્મલ ગનથી સ્કીનીગ, અને સેનેટાઈઝ કરવામાં આવે છે. મુસાફરોમાં જાગૃતિ આવે તે માટે જરૂરી સૂચનાઓ જારી કરવામાં આવે છે .અંદાજે ૭૦થી વધુ પોઇન્ટ પર કર્મચારીની રાઉન્ડ ધ કલોક ફરજો સોપી થર્મલગનથી ચડતા ઉતરતા મુસાફરોની ચકાસણી કરવામાં આવે છે.
Trending
- રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી
- રાજકોટ : પોલીસમેનના માતા-પિતાને વખ ઘોળવા મજબુર કરનાર વ્યાજંકવાદીની ધરપકડ
- રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાડે મુકાવી દેવાની લાલચ આપી રેલનગરના પ્રૌઢ સાથે કારની છેતરપિંડી
- ધ્રોલ : જુની કુમાર છાત્રાલયની જર્જરીત દિવાલ પડતા 2 બાળકો દટાયા
- મતદાનને લઈને તંત્ર સજ્જ: કાલે વોટિંગ પાવર બતાવવા મતદારોને હાંકલ
- પંચાયત 3ના મેકર્સે કર્યું અનોખી રીતે પ્રમોશન, વીડિયો જોઈને ચાહકો ચોંકી ગયા
- રાજકોટ શહેર-જિલ્લામાં 6 હજારથી વધુ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓનો બંદોબસ્ત
- રાજકોટમાંથી 11,108 જયારે રેન્જના પાંચ જિલ્લાઓમાંથી 51,869 ગુનેગારોને ઉપાડી લેવાયા