Abtak Media Google News

કોરોના વાયરસ આવ્યાને એક વર્ષ કરતા પણ વધુ સમય વીતી ગયો છે. ભારતમાં હાલમાં કોરોનાની બીજી લહેર પસાર થઈ ગયા બાદ એકંદરે કેસો ઘટયા છે. પણ નવા સ્ટ્રેનના લીધે પૂન: મોટો ખતરો ઉભો થયો છે. વાયરસના આ નવા વિકરાળ સ્વરૂપથી ભારતમાં ઘોડા છૂટયા પછી તબેલાને તાળા’ જેવો ઘાટ સર્જાયો છે. બ્રિટનમાં હાહાકાર મચ્યા બાદ સાવચેતીના ભાગરૂપે ત્યાંથી આવતી-જતી ફલાઈટ પર પ્રતિબંધ તો લદાયો છે. પરંતુ એ પહેલા ભારતમાં આવેલા મુસાફરો સંક્રમિત નહિ જ થયા હોય તેની ખાતરી શું?? કારણ કે કોરોનાના આ (અનુ. આઠમા પાને)

નવા સ્ટ્રેનની ઝપેટમાં આવ્યા છતાં થોડા સમય સુધી તેની જાણકારી હોતી જ નથી અને સંક્રમિત વ્યકિત અન્યોના સંપર્કમાં આવી બીજા દસ લોકોને વાયરસનો ફેલાવો કરે છે. જો કે, આ પરિબળને ધ્યાને રાખી સરકારે ગત નવેમ્બર માસથી ૬ ડિસેમ્બર સુધીમાં બ્રિટનથી આવેલા મુસાફરોને હોમ કવોરન્ટાઈન થવા સૂચના આપી છે. આ તરફ ગંભીર ધ્યાન દોરી લોકોએ પણ કાળજી લેવી અતિ આવશ્યક બની છે. કોવિડ પોઝીટીવ હોય, તો તેનાથી ડરીને માહિતી છુપાવવી સમગ્ર દેશ માટે મોટો ખતરો રૂપ બની શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.