Abtak Media Google News

૧૫ વર્ષમાં કરાટેમાં જિલ્લાથી લઈ નેશનલ, ઈન્ટરનેશનલ કક્ષા સુધી ૨૦૦થી વધુ એવોર્ડ જીતી ચુકી છે

આસ્થા આચાર્યને શરૂઆતથી જ માસિક ફેલોશીપ મળી રહી છે

સાબરકાંઠાના હિંમતનગરની આસ્થા આચાર્યને ગુજરાત સરકાર દ્વારા જુનિયર સરદાર પટેલ એવોર્ડ અપાશે સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત માટે ખુશીનું માહોલ છવાયો છે આસ્થા છેલ્લા ૧૫ વર્ષથી કરાટેમાં જિલ્લા થી લઇ નેશનલ કક્ષા સુધી ૨૦૦થી વધારે એવોર્ડ જીતી ચૂકી છે. જો કે ગુજરાત સરકારે જુનિયર સરદાર પટેલ એવોર્ડ એનાયત કરતા સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત માટે ગૌરવપૂર્ણ બાબત બની રહી છે.

છેલ્લા ૧૫ વર્ષમાં ૨૦૦થી વધારે મેડલ જીતી ચૂકેલી આસ્થા આચાર્યનું કહેવું છે કે, કોઈપણ કામ ખંતથી કરવામાં આવે તો સફળતા ચોક્કસ મળે છે ગુજરાત સરકાર દ્વારા આસ્થા આચાર્યને દર મહિને ચોક્કસ રકમ એનાયત કરવામાં આવે છે જેના પગલે તેના જીવનમાં હજુ વધુ આગળ વધી શકે જો કે આસ્થા આચાર્ય એ છેલ્લા ૧૫ વર્ષમાં સાબરકાંઠા જિલ્લા થઈ નેશનલ અને ઇન્ટરનેશનલ એવોર્ડ પણ જીત્યા છે જેના પગલે ગુજરાત સરકારે આ વર્ષે જુનિયર સરદાર પટેલ એવોર્ડ આસ્થા આચાર્યને આપ્યો છે જે ગુજરાત લેવલે એકમાત્ર અપાતો એવોર્ડ છે જોકે સાબરકાંઠા જિલ્લામાં આજદિન સુધી સરદાર પટેલ એવોર્ડ એક પણ રમતમાં એક પણ રમતવીરને મળી શકી નથી ત્યારે આઝાદીના ૭૦ વર્ષમાં પહેલીવાર સાબરકાંઠા જિલ્લાને સરદાર પટેલ એવોર્ડ મળ્યો છે જે સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત માટે ગૌરવની બાબત બની રહી છે. આ મામલે આસ્થા આચાર્ય એ જણાવ્યું હતું કે મારો એવોર્ડ એ મારા પરિવાર સહિત મારા કોચની આભારી છે તેમજ જુનિયર સરદાર પટેલ એવોર્ડ તરીકે ગુજરાત સરકારે મારી પસંદગી કરી છે તે બદલ ગુજરાત સરકારનો પણ તેને આભાર માન્યો છે.

Screenshot 2021 01 30 09 46 06

કોઈપણ રમતવીર માટે તેના કોચનું ખૂબ મોટું મહત્વ રહેલું હોય છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દશકથી કરાટે સાથે જોડાયેલ જુજારસિંહ વાઘેલા એ આસ્થા આચાર્યના કોચ છે તેમની આ મામલે જણાવ્યું હતું કે, કોઈપણ રમત ક્યારે સરળ નથી હોતી તેમજ દરેક રમત વેદના જીવનવિકાસ સાથે જોડાયેલી હોય છે સાથો સાથ એની યોગ્ય સમય કદર થાય તો તે ખૂબ મહત્વની બાબત બની રહે છે આસ્થા આચાર્યની શરૂઆતથી જ કરાટેના મામલે માસિક ફેલોશિપ મળી રહે છે તેમજ આ વર્ષે ૨૦૦ થી વધારે મેડલ જીતી ચૂકેલા આસ્થાને જુનિયર સરદાર પટેલ એવોર્ડ એનાયત થયો છે ત્યારે સમગ્ર ગુજરાત માટે ગૌરવપૂર્ણ બાબત બની રહી છે. આસ્થા આચાર્યે માત્ર રમતમાં જ નહીં પરંતુ ઇંગ્લીશ મીડીયમ ધોરણ ૧૨ સાયન્સમાં પણ ૮૫થી વધારે ટકા મેળવી અભ્યાસ ક્ષેત્રે પણ મહત્વની નામના મેળવી છે. આઝાદીના ઇતિહાસમાં સૌપ્રથમવાર સાબરકાંઠા જિલ્લાને કરાટે મામલે અપાયેલો જુનિયર સરદાર પટેલ એવોર્ડ આવનારા સમયમાં અન્ય વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીઓ માટે પણ આશાનું એક કિરણ બની રહી તેવી સંભાવનાઓ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.