Abtak Media Google News

સરકારી કચેરીઓમાં પણ બિનઅધિકૃત વ્યક્તિઓનો પ્રવેશ નિષેધ ૧૯ ફેબ્રુઆરી સુધી જાહેર નામાનું અમલી કરણ ફરજિયાત

ભુજ જિલ્લા, મધ્યસ્થ, તાલુકા સેવા સદનની ૧૦૦ મીટરની ત્રિજયામાં ધરણા, ભૂખ હડતાલ તથા ભૂખ હડતાલ પર બેસવા તેમજ સરકારી કચેરીઓમાં પણ પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. જેનો ૧૯ ફેબ્રુઆરી સુધી ફરજિયાત અમલ કરવાનો પણ તેમાં ઉલ્લેખ કરાયો છે.

જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્લા/તાલુકા સેવાસદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર જિલ્લા સેવાસદન, ભુજ તથા મધ્યસ્થ સેવાસદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્દ્રા, નખત્રાણા, અબડાસા, નલિયા, દયાપર, મુન્દ્રા, માંડવી, ગાંધીધામ, અને રાપર તાલુકા સેવાસદનની બહાર કે અંદર જિલ્લા/મધ્યસ્થ/તાલુકા સેવાસદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઇ મંડળી બનાવી ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર બેસવા કે ઉપવાસ ઉપર બેસવા મનાઇ ફરમાવવાનું જરૂરી જણાય છે.જેથી ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ તેમને મળેલ સતાની રૂએ કુલદીપસિંહ ઝાલા, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ-ભુજ દ્વારા આ જાહેરનામા અન્વયેનો અમલ તા.૧૯/૨/૨૦૨૧ સુધીની મુદત માટેનો રહેશે. તેમજ અનધિકૃત/ગેરકાયદેસર રીતે કોઇપણ વ્યકિતએ/વ્યકિતઓને એકી સાથે કોઇપણ જગ્યાએ ભેગા થઇને કોઇ મંડળી બનાવી ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર બેસવા, ઉપવાસ કે આમરણાંત ઉપવાસ પર બેસવા માટે મનાઇ ફરમાવી છે.આ જાહેરનામા અન્વયે ફરજ પર સરકારી નોકરી અથવા રોજગારમાં હોય તે વ્યકિતઓને, ફરજ પર હોય તેવી ગૃહરક્ષકદળની વ્યકિતઓને, લગ્નના વરઘોડા તથા સ્મશાનયાત્રાને, અત્રેથી, સક્ષમ અધિકારી તરફથી આપવામાં આવેલ ખાસ કિસ્સા તરીકે પરવાનગીને, સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમો કે અભિયાનને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનારને ભારતીય દંડ સહિતા હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. આ સાથે જિલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ-ભુજના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તાર જેવા કે જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા ન્યાયાલયની કચેરી, જિલ્લા પંચાયત કચેરી, બહુમાળી ભવનમાં આવેલ સરકારી કચેરીઓ, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરીઓ વિગેરેમાં જાહેર જનતાને લગતી કામગીરી કરવામાં આવે છે. તાજેતરમાં કેટલાક બનાવો પરથી ઉકત તમામ કચેરીની આસપાસ તથા નજીકના સ્થળે કેટલાક વ્યકિતઓ એકલા અથવા ટોળી બનાવીને જાહેર જનતાની છેતરપીંડી કરી પૈસા પડાવે છે અથવા તો ગેરકાયદેસર પ્રવૃતિ કરી ઉલટી સીધી વતો કરી જાહેર જનતાને ભોળવીને કે ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી રીતે લલચાવીને કે ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરાવી આપવાનું જણાવતા અનઅધિકૃત વચેટીયા તરીકે કામ કરવા ઈરાદો રાખતા આવા વ્યકિત, ઈસમો પ્રવૃતિ કરી રહેલ હોવાનું જણાય આવેલ છે. આવો ઈરાદો રાખતા વ્યકિતઓના પ્રવેશ પર પ્રતિબંધ છે.

જેથી કુલદીપસિંહ ઝાલા, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે ગુજરાત પોલીસ અધિનિયમ અન્વયે તેમને મળેલ તેમની સતાની રૂએ અનઅધિકૃત વચેટીયા તરીકે કામ કરવા ઈરાદો રાખતા આવા વ્યકિતઓના પ્રવેશ ઉપર મનાઇ હુકમ ફરમાવેલ છે. આ જાહેરનામા અન્વયે તા.૧૯/૨/૨૦૨૧ સુધી અમલ કરવાનો રહેશે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ મુજબ શિક્ષાને પાત્ર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.