ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે ટેસ્ટે શ્રેણી ચાલી રહી છે ભારતે ઈગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં વિક્રમી વિજય મેળવી દાખલો બેસાડયો છે. ત્યારે ઈગ્લેન્ડના પ્રવાસ દરમ્યાન જ ટી.૨૦ ટુર્નામેન્ટ પણ રમાવાની છે. જેના અનુસંધાને આજે ભારતની ટીમની જાહેરાત કરવામાં આવી છે.ઈગ્લેન્ડની ટીમ અમદાવાદના સ્ટેડિયમ ખાતે પાંચ મેચ રમાનાર છે. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ મોટેરા ખાતે પેટીએમ ટી. ૨૦ સીરીઝના પાંચ મેચ ઈગ્લેન્ડની ટી રમવાની છે.તા.૧૨ માર્ચ, ૧૪ માર્ચ, ૧૬ માર્ચ, ૧૮ માર્ચ અને ૨૦ માર્ચનાં રોજ આ મેચ રમાશે.ઈગ્લેન્ડ સામેના પાંચ મેચ માટેની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઓલ ઈન્ડિયા સીનીયર સીલેકશન કમીટીએ જે ટીમની પસંદગી કરી છે તેમાં વિરાટ કોહલી કેપ્ટન, રોહિત શર્મા વા.કેપ્ટન, કે.એલ. રાહુલ, શિખર ધવન, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ,હાર્દિક પંડયા, રીષભ પંત વિકેટકીપર, ઈશાન કિશન વિકેટકીપર, યદુવેન્દ્ર ચહર, વરૂણ ચક્રવર્તી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રાહુલ તિવેટીયા, ટી. નટરાજન, ભુવનેશ્ર્વરકુમાર, દીપક ચહર, નવદીપ સૈની, સાર્દુલ ઠાકુર છે.
Trending
- સુરત કલેકટર કચેરી ખાતે મતદાન જાગૃતિને લઈને અનોખો પ્રયોગ
- બોગસ પેઢીઓની બદી ડામવા GST એકશનમાં: આકરા નિયમો ઘડવા બેઠક
- ચોખાની અછત નહિ સર્જાઈ : FCI પાસે 534 લાખ ટનનો મબલખ જથ્થો
- સસ્પેન્સનો અંત: રાહુલ રાયબરેલી બેઠક ઉપરથી લડશે ચૂંટણી
- કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેની રાજકોટમાં ચૂંટણી સભા રદ
- ચૂંટણી સમયે યોજનાઓના નામે સર્વે બંધ કરો: રાજકીય પક્ષોને ચૂંટણી પંચનો આદેશ
- કાળઝાળ ગરમીમાં ઠંડક જોઈએ છે…તો ભારતની આ જગ્યાઓ બેસ્ટ છે
- જામનગરમાં વડાપ્રધાનના પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત રિહર્ષલ સમયે બેદરકારી દાખવનાર સુરતના ડીસીપી ને નોટિસ અપાતાં ભારે ચકચાર