ચોમાસાની સીઝનમાં પણ જ્યારે ધોધમાર વરસાદ પડતો હોય અને જળાશયોમાં પાણીની અનરાધાર આવક ચાલુ હોય ત્યારે રાજકોટવાસીઓ એકબીજાને એક જ સવાલ કરતા નજરે પડતા હતા કે આજી ડેમ છલકાયો કે કેમ ? હવે આ વાત જાણે ભૂતકાળ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યના પાણીદાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની દીર્ધદ્રષ્ટિના કારણે આજીડેમ હવે ગમે ત્યારે નર્મદાના નીરથી ઓવરફલો થવા સક્ષમ બની ગયો છે. આજીમાં કાળઝાળ ઉનાળામાં ભરપુર જળવૈભવ જોવા મળશે તેવી સ્વપ્ને પણ કલ્પના ન કરનાર રાજકોટવાસીઓ આજે આજીનો વિશાળ જળવૈભવ જોઈ રીતસર રાજી…રાજી… થઈ રહ્યાં છે. સૌની યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા માત્ર 25 દિવસમાં આજી ડેમમાં 575 એમસીએફટી પાણી ઠાલવી દેવામાં આવ્યું છે. રાજકોટને 15મી જુલાઈ અર્થાત ચોમાસા સુધી પાણીની હાડમારી વેઠવી ન પડે તેટલો જળ જથ્થો હાલ આજીમાં ઉપલબ્ધ છે. હાલ 29 ફૂટે ઓવરફલો થતાં આજી ડેમમાં હાલ 27 ફૂટ પાણી હિલોળા લઈ રહ્યું છે અને પવનની એક સામાન્ય લહેરખીએ પણ આજીના પાળા પરથી પાણી છલકાઈ બહાર નીકળી રહ્યું છે. આ દ્રશ્ય ખરેખર આંખોને ખુબજ ટાઢક આપે છે. એક સમય હતો જ્યારે ઉનાળાના આરંભે જ આજી ડેમ ક્રિકેટના મેદાનમાં ફેરવાઈ જતું હતું. પરંતુ હવે માં નર્મદાની કૃપા અને મુખ્યમંત્રીની દીર્ધદ્રષ્ટિના કારણે આજી ડેમ ઉનાળામાં પણ છલોછલ ભરેલો રહે છે. (‘અબતક’ ડ્રોન તસવીર)
Trending
- સશક્ત લોકશાહીનું પ્રેરક બળ, મજબૂત મનોબળના માનવીનું વ્હીલચેર, લાકડીના સહારે બુઝૂર્ગો, મહિલાઓનું મતદાન
- સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રથમ બે કલાકમાં મતદારોએ ઉત્સાહ દેખાડ્યો,સાંજ સુધી આ ટ્રેન્ડ જળવાય રહેશે?
- પ.બંગાળ મતદાનમાં સૌથી આગળ, મહારાષ્ટ્ર અને ગુજરાત પાછળ
- ક્ષત્રિયાણીઓ મતની ધાર દેખાડવા ઉતરી રણ મેદાનમાં
- અસ્મિતા આંદોલન સાથે આગળ વધી મતદાન કરવા પ્રતિબધ્ધ ક્ષત્રિય સમાજ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરખભેર કર્યું મતદાન, જુઓ વિડીયો
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ચોક્કસ નિર્ણય પર ના આવી શકો અને કેટલીક બાબત છોડી ના શકો
- ફેશન વીકના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા છવાઈ