Abtak Media Google News

Dsc 0356ભાદરવા સુદ ત્રીજના દિવસે કેવડાત્રીજનું વ્રત કરવામાં આવે છે. આ વ્રત પરણીત સ્ત્રીઓ અને કુમારીકાઓ બંને કરે છે. આજે કેવડાત્રીજના દિવસે રાજકોટ શહેરનાં વિવિધ શિવ મંદિરોમાં કેવડાત્રીજના પૂજન અર્ચન માટે વહેલી સવારે ભીડ જોવા મળી હતી. બહેનોએ સાથે મળીને ર્માં પાર્વતી અને ભગવાન શંકરનું પૂજન-અર્ચન કર્યું હતુ. અને પરણીત સ્ત્રીઓએ પોતાના પતિ માટે દીર્ધાયું તેમજ કુંવારિકાઓએ ઉતમવરની કામના કરી હતી. બાળાઓ અને મહિલાઓ આજે આખો દિવસ ફળાહાર કરી માથામાં કેવડો નાખી વ્રતની ઉજવણી કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.