ચાલુ વર્ષે ઉનાળામાં સખ્ત ગરમી પડવાની શકયતા છે.ત્યારે આગામી તા.10 થી ગરમીનું પ્રમાણ હજુ પણ વધશે અને તા.13ના રોજ રાત્રે સૂર્ય મેષ રાશીમાં પ્રવેશ કરશે. આમ ત્યારબાદ ઉતરોતર ગરમીનું પ્રમાણ વધશે ગરમીનો પારો તા.15 એપ્રીલ બાદ 43 ડિગ્રી આસપાસ પહોચે તેવી શકયતા છે. તા.19 એપ્રીલ થી કાયદેસર પંચાગ પ્રમાણે ગ્રીષ્મઋતુનો પ્રારંભ થશે. અને લોકોને અકડાવતી ગરમીમાં વધારો થશે. ચૈત્ર મહિનામાં પાંચ મંગળ વાર હોવાથી અને ચૈત્ર મહિનાનો પ્રારંભ અને સમાપ્તી પણ મંગળવારે છે. આત્રી ગરમી અને બીમારીમાં વધારો થાય લોકોએ સાવચેત રહેવું જરૂરી બને. ખાસ કરીને 23,24,29,30 એપ્રીલના દિવસો દરમ્યાન ગરમીથી બચવુ જરૂરી બને. તા.1.5.થી ચૈત્ર દનૈયાનો પ્રારંભ થશે જે તા. 8-5સુધી રહેશે આમ આ આઠ દિવસ જેટલી ગરમી વધારે પડે તેટલું ચોમાસુ સારૂ જાય ચૈત્ર દનૈયાની ખાસીયત એ છેકે દનૈયા દરમ્યાન ગરમી વધારે પડે તેટલું ચોમાસુ સારૂ જાય એમ માનવામા આવે છે. મે મહિનામાં તા.12,16, 20,21, 26,27મા ગરમી વધુ પડવાની હોય બીમારીથી બચવુ જરૂરી છે.મે મહિનામાં તા.16 પછી ગરમી સાથે બફારાનું પ્રમાણ વધશે અને તારીખ 12 મી પછી ગરમીનો પારો 43 થી 44 ડિગ્રી જાય તેવી શકયતા જણાઈ રહી છે. મે મહિનામાં ખોરાક લેવામાં પણ પરેજી રાખવી જરૂરી બનશે.જૂન મહિનાની શરૂઆતથી જ બફારો વધારે રહેશે અમુક જગ્યાએ થોડો-થોડો વરસાદ પડે.આ વર્ષે બધા જ ગ્રહયોગો જોતા તથા તા.14.5થી સૂર્ય રાહુનો ગ્રહણ યોગ ગોચરમા થશે. આથી બીમારી અને ગરમીથી બચવુ જરૂરી બનશે. તે ઉપરાંત અગ્નિથી પણ બચવું જરૂરી બનશે.રાજકોટની તુલા રાશી પ્રમાણે આઠમે રાહુ ચાલે છે. આથી લોકોએ આરોગ્ય અને અકસ્માતથી બચવું તકેદારી રાખવી. શિવજીને દરરોજ જળ ચડાવી શિવ ઉપાસના કરવા શાસ્ત્રી રાજદીપ જોષીની યાદી જણાવે છે.
Trending
- Infinix GT 20 pro ભારતમાં ધૂમ મચાવા તૈયાર…
- શું તમે પણ તમારા ચહેરા પર ચમક લાવવા માંગો છો
- મોદી, જયશંકર અને રાજનાથસિંઘને નિજ્જરના હત્યારા દર્શાવતા પોસ્ટરો લાગ્યા
- ગિફ્ટમાં આવેલી ઇન્ડિયન ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જથી ચાંદીના વેપલામાં જબરદસ્ત ઉછાળો
- નવી સરકારે આર્થિક મોરચે અનેક પડકારો સર કરવા પડશે
- વિશ્વની સુંદર ટ્રેન જેના દ્રશ્યો જોઈ ચોંકી જશો
- ઉત્તર પ્રદેશની બે હાઈપ્રોફાઈલ સીટ માટે કોંગ્રેસનું સસ્પેન્સ
- નાના બાળકો ચિત્ર જોઈને સમજે, વિચારે અને બોલે : બાળકોના કૌશલ્યોના વિકાસને ટેકો આપવો