Abtak Media Google News

હિન્દુ પંચાંગ અનુસાર વર્ષભરમાં ચાર નવરાત્રિ મનાવવામાં આવે છે. એ પૈકીની એક ચૈત્રી નવરાત્રિનો આજથી શુભારંભ થયો છે. આજથી નવદિવસમાં ને રીઝવવા ભકતજનો દ્વારા પુજા, અર્ચના અને વ્રત કરવામાં આવશે પ્રતિવર્ષ મનાવાતી નવરાત્રિની સાપેક્ષમાં આ વર્ષે માં ના ભકતો માટે અમુક નિયમોનો અવરોધ છે, કારણ કે જીવલેણ કોરોનાએ લોકોને ચિંતામાં મુકયા છે. તેથીના છૂટકે માતાની આરાધના કરવા પદયાત્રા દર્શનયાત્રા વગેરે ભક્તિ આયોજનો પર કાય મૂકયો પડયો છે. આ વર્ષે નવરાત્રિમાં માતાના ઘટ્ટ સ્થાપનની ઘેર આરાધના કરીને તેમજ સરકારી આદેશ મુજબ સવારે 6થી 8 દરમિયાન મંદિરોમાં માત્ર દર્શન કરીને સંતોષ માની લેવો પડશે. તેમ રાજકોટનામાં આશાપુરા મંદિરમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સરકારી ગાઇડ લાઇનનું પાલન કરીને ભકતજનોએ દર્શનનો લાભ લઇને ધન્યતા અનુભવી હતી.

Img 20210412 Wa0248
કચ્છ માતાના મઢમાં ઘટ સ્થાપન

આજથી ચૈત્રી નવરાત્રિનું પાવન પર્વ શરૂ થયુ છે. ત્યારે કચ્છમાં માતાના મઢમાં કોરોના ગાઇડ લાઇનના પાલન મુજબ દર્શનાર્થીઓ માટે તો બંધ કરવામાં આવ્યુ છે. તેમ છતાં માંની આરાધના પર્વને વધાવવા ઘટ સ્થાપન કરવામાં આવ્યુ છે. આજથી માં ના દરેક ભકત જનોના અંતરથી એક જ પ્રાર્થના કરવામાં આવશે કે કોરોના નો અંત આવે તેવી માંની કૃપા વરસે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.