Abtak Media Google News

હાલ ચાલી રહેલ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડળધામની પ્રેરણાથી શ્રી સ્વામીનારાયણ મંદિર કારેલીબાગ, વડોદરામાં કોરોના દર્દીઓની સારસંભાળ માટે પ0 બેડનું કોવીડ કેર સેન્ટર કાર્યરત કરાયું છે.

વડોદરા ખાતે સંસ્થાના સંપૂર્ણ હવા ઉજાસ વાળા સુવિધા સંપન્ન બિલ્ડીંગમાં રહેવા-જમવાની વ્યવસ્થા સાથે પ0 બેડની સુવિધા ઉભી કરવામાં આવેલ છે. જેમાં વડોદરાની પ્રસિઘ્ધ જાહ્મવી મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલના નિષ્ણાંત  ડોકટરોની ટીમનો દર્દીઓને સારો લાભ મળી રહ્યો રાજય સરકારની મંજુરીથી ચાતી છે. સાથો સાથ પૂ. શ્રી જ્ઞાનજીવનદાસજી  સ્વામી તથા સંતો દ્વારા દર્દીઓને હુંફ બળ અને પ્રોત્સાહન પણ મળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.