Abtak Media Google News

ત્યજી દીધેલી બાળકીની સગીર માતા અમરેલી પંથકમાં બળાત્કારનો ભોગ બની’તી

પડધરી તાલુકાના નાના ખીજડિયા ગામેથી થોડા દિવસ પહેલા જ ત્યજી દીધેલી માત્ર એક દિવસની બાળકીની માતાની ઓળખ થયા બાદ સગીર માતા અમરેલી પંથકમાં બળાત્કારનો ભોગ બની હોવાનું સામે આવ્યું છે. પ્રેમ સંબંધમાં પરપ્રાંતીય શખ્સે સગીરાને હવસનો શિકાર બનાવતા બાળકીને જન્મ આપ્યો હોવાની હકીકત સામે આવી છે.

Advertisement

પડધરી તાલુકાના નાના ખીજડિયા ગામે એક દિવસની નવજાત બાળકી મળી આવતા 108 એમ્બ્યુલન્સના કર્મચારી ઓએ બાળકીને તુરંત રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસે તપાસ કરતા બાળકને જન્મ આપનાર સગીરા હોવાનું ખુલ્યું હતું.

પડધરીના ખીજડીયામાં નવજાતને ત્યજી દેવા મામલે થયો મોટો ખુલાસો,…

જેથી પોલીસે સગીરા અને તેના માતા પિતાની પોલીસે અટકાયત કરી હતી. બાળકી અંગે સગીરા સાથે પોલીસે પુછપરછ કરતા સગીરાએ ખુલાસો કર્યો હતો ગત નવરાત્રી સમયે સગીરા તેના માતા-પિતા સાથે અમરેલી પંથકના લાલાવદર ગામે ભાગીયુ રાખી મજૂરીકામ કરતા હતા. તે દરમિયાન લાલાવદર ગામના એક ખેડૂતની વાડીએ ભાગીયુ રાખી કામ કરતા પરપ્રાંતિય કરણ નામના યુવક સાથે પ્રેમ થઈ જતા શારિરીક સબંધ બંધાયા હતા અને ત્યારબાદ પડધરીના ખીજડીયા ગામે રહેવા આવી ગયા હતા.જયાં સગીરાએ બાળકીને જન્મ આપતા પોતાનુ પાપ છુપાવવા માટે બાળકીને ત્યજી દીધી હતી જેનો ભેદ પડધરી પોલીસે ઉકેલી નાખ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.