Abtak Media Google News

મહારાષ્ટના કોલ્હાપુરમાં 2017માં એક કરુણ ઘટના સામે આવી હતી. આ શકસે તેની માતાની ક્રૂર રીતે હત્યા કરી, તેના અંગોને ખાધા હતા. આ કળયુગી ક્રૂર પર કોર્ટએ પોતાનો નિર્ણય સંભળાવ્યો છે.

‘સુનિલ કુચિકોરવી 35 વર્ષનો યુવાન છે. આ ઘટના 28 ઓગસ્ટ 2017ના કોલ્હાપુરના મકરદ્વાલા શહેરમાં બની હતી. લોક અભિયોજક શુક્લા વિવેક શુકલા એ કહ્યું, ‘સુનિલ કુચિકોરવી (35) દારૂનો શોખીન હતો. ઘટનાના દિવસોમાં તેણીની માતા પાસે દારૂ ખરીદવા માટે અમુક રૂપિયા માંગ્યા હતા. જ્યારે તેણીએ માતાની દારૂ ન પીવાની સલાહ આપી રૂપિયા ન આપ્યા એટલે સુનિલે તેણીની ધારદાર હથિયારથી હત્યા કરી. પોતાની દારૂની જરૂરિયાત માટે પોતાની માતાને માર્યા બાદ પણ તેનો ઘગુસ્સો શાંત ન થયો. અને પોતાની માતાના ડાબા પડખાને ચીરી માતાનું હૃદય, આંતરડા અને કિડની ઉપરાંત બીજા અંગોને રસોડાના પ્લેટફોર્મ પર રાખી દીધા.

84256495

તપાસમાં ખબર પડી કે સુનિલ એ માંસાહારી તો છે જ તેની સિવાય નરભક્ષી હોવાનો આશંકા છે, કારણકે તપાસ દરમ્યાન તેની માતા ના અંગો તેલ અને મીઠું ભભરાવેલા મળ્યું હતું. પ વિકૃત માનસિકતા ધરાવતો સુનિલ પોલીસને લોહીવાળા હાથ અને મોં સાથે પકડાયો હતો. છેલ્લા 4 વર્ષોથી તે મુકદ્દમો કોલ્હાપુરની કોર્ટમાં ચાલી રહ્યો હતો. ન્યાયાધીશ મ્હેશ જાધવે ગુરુવારનો આ કેસ સાંભળ્યો હતોઅને સાથે સુનિલ કુચિકોરવી (સુનીલ કુચિકોરવી) ને મૃત્યુદંડની સજા સંભળાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.