Abtak Media Google News

જય વિરાણી, કેશોદ

6 વર્ષ પેહલા  જુનાગઢના માંગરોળ તાલુકાનાં લઠોદ્રા ગામમાં એક ઘટના બની હતી જ્યાં પિતાએ દીકરીને જીવતી સળગાવી દઈને નિર્મમ હત્યા કરી હતી. 27 માર્ચ 2015ના રોજ આ ઘટના બની હતી. તેની દીકરીનું નામ નયના હતું અને તેના પિતાનું નામ કિશોરભાઈ હતું. કિશોરભાઈને બે પત્નીઑ હતી. નયના તેની પ્રથમ પત્નીના કૂખેથી જન્મેલી છોકરી હતી.

નયના કનકસિંહ  નામના વ્યક્તિ સાથે પ્રેમ સબંધથી જોડાયેલી હતી. ગામના જ પ્રેમી “કનકસિંહ” સાથે મૈત્રી કરાર કરી લીવ ઈનમાં રહેતી હતી. આ વાતની જાણ પિતાને થતાં પિતાએ પુત્રીને મોતને ઘાટ ઉતારી હતી. તેને પોતાની દીકરીને 6 વર્ષ પહેલા જીવતી સળગાવી દીધી હતી.

મોતને ઘાટ ઉતારીને દીકરીની લાશને પોટલમાં વીંટીને બાથરૂમમાં બંધ કરી બહારથી તાળું મારી દીધું હતું. લાશને અંદર છુપાવીને આરોપી પિતા ફરાર થઈ ગયો હતો. જુનાગઢ પોલીસે આરોપી વિરુદ્ધ 302ની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. લાંબા સમયથી ફરાર આરોપી પિતાને પોલીસે રાજકોટમાંથી પકડી પાડ્યો છે. આરોપીને 10 હજારનો દંડ કરીને સેસન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.