Abtak Media Google News

જય વિરાણી, કેશોદ 

Advertisement

ગત સાંજે કેશોદમાં મારમારીની ઘટના બની હતી જેમાં કેશોદ બસ સ્ટેશન નજીક ભરચક વિસ્તારમાં 2 યુવકો પર 20 સખ્શોએ હુમલો કર્યો હતો. આ ઘટનામાં શાકભાજી વિક્રેતાઓએ શાકભાજી લેવા આવનાર 2 યુવકોને ઢોર માર માર્યા હતા. આ ઘટના કેશોદ બસ સ્ટેશનના ભરચક વિસ્તારમાં થઈ હતી.શાકભાજી લેવા ગયેલા યુવકોની શાકભાજી વિક્રેતાઓ સાથે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ થોડી વારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું.

આ બોલાચાલી બાદ સ્થાનિક વિસ્તારના લારીવાળાઓએ બંને યુવકો પર ઉમટી પડ્યા અને યુવકોને ઢોર માર માર્યા. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ચકચાર મચી ગયો હતો અને લોકોના ટોળાં એકઠા થયા હતા. મારામારીની ઘટના બાદ એકઠા થયેલાં ટોળાએ બંને યુવકોને બચાવ્યાં હતા. ભોગ બનનારા યુવકોએ લારીવાળા સખ્શો વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. ઘટનાની જાણ થતા યુવકોના સગા સબંધી, મિત્ર સર્કલના પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે.

Screenshot 2 14

આ ઘટના બાદ શહેરમાં અશાંતિનો માહોલ ઊભો થયો હતો, પોલીસે આસપાસની તાલુકા પોલીસની મદદ લીધી છે. મારમારી બાદ રાત્રીના દુકાનો બંધ કરાવી કરફ્યું જેવો માહોલ બસ સ્ટેશન વિસ્તારમાં સર્જાયો હતો. 2 યુવકો પર હુમલો કરનાર ૨૦  હુમલાખોરો  વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરીયાદ નોંધી ટોળાને વિખેરવા કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.