Abtak Media Google News

 

કોરોના સંક્રમણને અટકાવવા કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ રાજ્ય સરકાર દ્વારા આગામી સમયે તહેવારોના પર્વને ધ્યાને લઇ જાહેરનામું પ્રસિધ્ધ કરી તા.28 ઓગષ્ટ સુધી રાત્રિના 11 થી 6 કલાક સુધી કર્ફ્યુ અને લગ્ન, અંતિમક્રિયા અને રાજકીય, સામાજીક અને શિક્ષણિક મેળાવડામાં મર્યાદિત સંખ્યામાં કાર્યક્રમ યોજવાનું પોલીસ કમિશ્નરે જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. કોરોના મહામારીને અટકાવવા માટે તા.28 ઓગષ્ટ સુધી રાજકોટ શહેરમાં રાત્રીના 11 થી સવારના 6 સુધી રહેવાસીઓએ પોતાના મકાનની બહાર નીકળવું નહી.

તેમજ જાહેર માર્ગ, રાજ માર્ગો, શેરીઓ ગલીઓમાં ઉભા રહેવુ નહી કે રખડવુ નહી. રાત્રિના 9 કલાક સુધી દુકાનો, વાણિજિયક સંસ્થાઓ, ચાની લારીઓ, પાનના ગલ્લાઓ, શોપીંગ કોમ્પલેક્ષ, માર્કેટ યાર્ડ સહિતની વેપારીક ગતિવિધિ ખુલ્લા રાખી શકાશે.રેસ્ટોરન્ટ જ રાત્રીના 10 કલાક સુધી બેસવાની ક્ષમતાના મહતમ 60 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. જયારે કે હોમ ડિલેવરીની સુવિધા રાત્રીના 12 કલાક સુધી ચાલુ રાખી શકાશે.લગ્ન  સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં 150 વ્યક્તિઓની મંજુરી રહેશે.

લગ્ન. માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીની જોગવાઇ યથાવત રહેશે. અંતિમક્રિયા/દફનવિધી માટે મહતમ 40 વ્યક્તિઓની મંજુરી રહેશે સમગ્ર જિલ્લામાં તમામ પ્રકારના રાજકિય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમો મેળાવડાઓમાં ખુલ્લામાં મહતમ 400 વ્યકતિઓ પરંતુ બંધ સ્થળોમાં જગ્યાની ક્ષમતાના 50 ટકા (200 થી વધુ નહી) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે.જિલ્લામાં પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટસ કોમ્પલેક્ષ/ સ્પોર્ટસ સ્ટેડીયમ/ સંકુલમાં રમત-ગમત ચાલુ રાખી શકાશે. વોટરપાર્ક, સ્વિમિંગ પુલ 60 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. સ્પા સેન્ટરો બંધ રહેશ

પબ્લિક તથા પ્રાઇવેટ નોન એસી બસ ટ્રાન્સપોર્ટ મહતમ 100 ટકા પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. મુસાફરો ઉભા રહી બસ પ્રવાસ કરી શકશે નહીં. નોન એસી બસ 75 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. બસ સેવાઓને કર્ફયુમાંથી મુકિત અપાઇ છે. અન્ય રાજયોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા મુસાફરોને સબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સુચનાઓ લાગુ પડશે.વાચનાલયો, સિનેમા, થિયેટરો, ઓડિટોરિયમ, મનોરંજક સ્થળો 60 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. જયારે કે શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સુચનાઓને આધિન રહેશે.શાળા,કોલેજ અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે યોજી શકશે.તમામે ફેસ કવર, માસ્કે અને સોશિયલ ડિસ્ટજન્સીંગનું ચુસ્તપણે પાલન કરવું. ઉપરાંત કોવિડ-19 અન્વયે કેન્દ્રીય ગૃહ મંત્રાલય / રાજય સરકારના ગૃહ વિભાગના વખતો વખતના હુકમથી આપવામાં આવેલ આદેશો તથા માર્ગદર્શક સુચનાઓ આખરી રહેશે. તેનો તમામે ચુસ્ત રીતે અમલ કરવાનો રહેશે.  આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

આવશ્યીક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહી. આ હુકમ બિમાર, સગર્ભા, અશકત વ્યકિતઓને સારવાર માટે અવરજવરની છુટ રહેશે. એસટી, રેલ્વે કે એકસપોર્ટની મુસાફરી કરનારને ટિકિટ રજૂ કર્યે અવરજવર પર મુકિત મળશે. મેડિકલ, પેરામેડિકલ સ્ટોર્સ, શાકભાજી માર્કેટ, મસાલા દળવાની ઘંટી, મિડિયા વગેરેને આ હુકમમાંથી મુકિત મળશે. તેવું જાહેરનામું પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે પ્રસિધ્ધ કર્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.