Abtak Media Google News

અબતક,રાજકોટ

માત્ર રાજકોટ જ નહી પરંતુ સમગ્ર ગુજરાતનાં નાટય મંચન કે પછી અન્ય કાર્યક્રમો માટે બધાનું માનીતું હેમુ ગઢવી નાટયગૃહે હવે નવા રંગરૂ પ ધારણ કર્યા છે. અને હવે ટુંક સમયમાં અહીં કાર્યક્રમો પણ શરૂ  થઈ જશે. રાજય સરકાર દ્વારા નિર્મિત અને સરગમ કલબ દ્વારા સંચાલિત હેમુગઢવી નાટય ગૃહનું આશરે ૬ કરોડ રૂ પિયાના ખર્ચે નવીનીકરણ કરવામા આવ્યું છે. અને હવે કલાકારો ઉપરાંત દર્શકોને વધુ સુવિધા સાથેનું નાટયગૃહ ઉપલબ્ધ બન્યું છે. આ અંગે વિશેષ માહિતી આપવા માટે બોલાવવામાં આવેલી પત્રકાર પરિષદના બોલતા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ કહ્યું હતુ કે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂ પાણીએ અંગત રસ લઈને આ નાટયગૃહ નમૂનારૂ પ બને તે માટે સતત માર્ગદર્શન આપ્યું હતુ અને આજે અમને આનંદ છે કે, આ નાટયગૃહ રાજકોટની કલા પ્રેમી જનતાની સેવા કરવા માટે તૈયાર છે.

ગુણવંતભાઈ એ જણાવ્યું હતું કે , કોરોના અને નવીનીકરણની કામગીરીને કારણે હેેમુ ગઢવી નાટયગૃહના બંને થીયેટર છેલ્લાં ૧૮ માસથી બંધ હતા પરંતુ હવે આ નવીનીકરણ પૂર્ણતાના આરે છે અને ટૂંક સમયમાં જ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂ પાણીના  હસ્તે ઉદઘાટન કરવામાં આવશે . તેમણે કહ્યું હતું કે મોટાભાગે તા . ૧૮ મી સપ્ટે.થી આ નાટયગૃહનું બુકિંગ શરુ કરવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે , નવીનીકરણ પામેલા આ નાટયગૃહમાં આરામદાશ ખુરશીઓ નાખવામાં આવી છે એટલું જ નહી  અઘતન લાઈટ એન્ડ સાઉન્ડ સીસ્ટમ નાખવામાં આવી છે બંને થીયેટરમાં કાર્પેટ પણ બદલી નાખવામાં આવી છે . આ ઉપરાંત નવું કલરકામ ગ્રીન રૂમમાં નવી સુવિધા , સ્ટેજ લાઈસ , એર કંડીશન સીસ્ટમ એક્રોલીક વોલ પેનલિંગ અને  એક્રોસ્ટિક સિલિંગ સ્ટેજ ઉપર વુડન ફલોરિંગ , વોટર પ્રુફોગ , નવી બુકિંગ  ચેમ્બર સહિતની  અનેક નવીનવી  સુવિધા ઉભી કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે , આ નવા અદ્યતન મેઈન  થીયેટરનું ભાડુ ૧૦ હજાર રૂપિયા અને ૨૦ હજાર રૂ પીયા  ડીપોઝીટ નક્કી કરવામાં આાવ્યા છે.

આ જ રીતે મીની થીયેટરમાં ૪ હજાર રૂ પીયા ભાડુ અને ૧ર હજાર રૂપેયિા ડીપોઝીટ નક્કી કરવામાં  આવ્યા છે. ભાડા ઉપરાંત  લેવાયેલી રકમાંથી બિલ્હીંગ જાળવણી વીમો હાઉસ ટેકસ લાઈટ એસી ઓપરેટીંગ ચાર્જ માઈક, જનરેટર ઓપરેટીંગ ચાર્જ સિકયોરીટી  ાર્જ વોટર ચાર્જ અને ગ્રાઉન્ડ ભાડુ વસુલવામાં આવશે. આ નાટય ગૃહ માટે સવારે ૮ થી ૧ બપોરે ૨ થી ૭, અને રાત્રે ૮ થી ૧ એમ ત્રર શિફટ માટે ભાડે  આપવામાં આવશે. બુકિંગનો સમય સવારે ૯ થી ૧ અને ૪ થી ૭નો રહેશે. કોઈ પુછપરછ માટે ફોન નં.  ૨૪૬૫૯૯૪ ઉપર સંપર્ક  કરવાનો રહેશે જો કે, બુકિંગ ફોન ઉપર નહી  કરવામાં આવે અને નિયત ફોર્મ  ભર્યું હશે  તેનું બુકિંગ જ  માન્ય ગણવામાં આવશે.

આ નાટયગૃહનાં નવીનીકરણમાં રાજ્ય સરકારના રમત ગમત અને યુવક સેવા સંસ્કૃતિક વિભાગના અધિક મુખ્ય સચિવ સી . વી . સોમ (આઇએએસ) ઉપરાંત યુવક સેવા વિભાગના કમિશનર પી આર જોશીના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા યુવા વિકાસ અધિકારી ડી જે વાઘેલા , જિલ્લા રમત ગમત અધિકારી વી.પી.જાડેજા , પી.ડબલ્યુ.ડી ના કાર્યપાલક ઈજનેર નિતેશ કે , કામદાર , નાયબ કાર્યપાલક ઈજનેર રાજેશ્વરી નાયર , મદદનીશ ઈજનેર પારસ કોઠીયા , કાર્યપાલક ઈજનેર  ડી.ડી.શેખલિયા , નાયબ કાર્યપાલક ઈજનેર ,ગૌરાંગ નાંઢા , મદદનીશ ઈજનેર પ્રતિક્ષા પટેલ અને યુથ બોર્ડના અધિકારી નયનભાઈ થોરાટ વગેરે એ સતત જહેમત ઉંઠાવી હતી . આ નાટ્યગૃહના મેનેજર   તરીકે ભરતભાઈ સોલંકી તથા રાજેન્દ્રભાઈ શેઠ  અને જયસુખભાઈ ડાભી તરીકે સેવા આપશે. સંપૂર્ણ જવાબદારી સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા સંભાળશે.

પત્રકાર પરિષદમાં સરગમ ક્લબના ચેરમેન વજુભાઈ વાળા સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા ઉપરાંત સરગમ પરિવારના ચેરમેન – માર્ગદર્શક વજુભાઈ વાળ , અરવિંદભાઈ દોમડીયા, મૌલેશભાઈ ઉકાણી. સ્મિતભાઈ પટેલ, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા , ડો. માલાબેન કુંડલીયા . ટ્રસ્ટીઓ ખોડીદાસભાઈ પટેલ, યોગેશભાઈ પુજારા, અરવિંદભાઈ પટેલ, રાકેશભાઈ પોપટ, વિનોદભાઈ પંજાબી, જયેશભાઈ વસા, શિવલાલભાઈ રામાણી ઉપરાંત નાથાભાઈ કાલરીયા , જગદીશભાઈ ડોબરિયા , લલીતભાઈ રામજીયાની , કિરીટભાઈ આદ્રોજા, મનસુખભાઈ મકવાણા, રમેશભાઈ અકબરી, મનસુખભાઈ ધંધુકિયા, અલ્કાબેન કામદાર, છાયાબેન દવે મધુરિકાબેન જાડેજા, મિતેનભાઈ મહેતા, ગીતાબેન હિરાણી, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ અને જયસુખભાઈ ડાભી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.