Abtak Media Google News

રાજકોટની યુવતિએ પાંચ માસ પૂર્વે કરેલા પ્રેમ લગ્નનો કરૂણ અંજામ

હત્યાના આક્ષેપ સાથે મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોના ઈન્કારથી પતિ સહિત ચાર સામે મરવા મજબુર કરવાનો નોંધાતો ગુનો

ગોંડલ આવકાર રેસીડન્સીમાં રહેતી નવ વધુને મરવા મજબૂર કરનાર પતિ, સાસુ સહિત સાસરીયા સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધી ધરપકડ કરવા સીટી પોલીસ મથકના સ્ટાફે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ આવકાર રેસીડેન્સીમાં રહેતી ભાવિકાબેન નામની પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.

આ ઘટનાની જાણ મૃતકના માતા-પિતાને થતા ગોંડલ ખાતે દોડી ગયા હતા. અને ભાવિકાને ગળાટુંપો દઈ હત્યા કરી હોવાનો આક્ષેપ કરાતા સીટી પોલીસ મથકના સ્ટાફે ફોરેન્સિક નિષ્ણાંતો પાસે પોસ્ટ મોર્ટમ કરાવવા મૃતદેહને રાજકોટ હોસ્પિટલ ખસેડી હતી. અને હત્યાનો ગુનો નોંધાઈ નહી ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની પરિવારજનોએ ઈન્કાર કરતા પોલીસમા દોડધામ મચી ગઈ હતી.

બાદ સીટી પોલીસ મથકના સ્ટાફે મૃતક ભાવિકાના રાજકોટ સ્થિત માતા મમતાબેન અશોકભાઈ શર્મા નામની સીંધી મહિલાની ફરિયાદ પરથી મૃતક ભાવિકાબેનના પતિ ચિરાગ સંજય બલદાણીયા, સાસુ સોનલબેન, સાસુ સંજયભાઈ અને દિયર રિતીક બલદાણીયા સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધાયો છે.પોલીસે તમામ સામે મરવા મજબૂર કર્યાનો ગુનો નોંધી પ્રાથમિક તપાસમાં ભાવિકાબેને પાંચ માસ પેલા ચિરાગ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. સાસરીયા દ્વારા દુ:ખ ત્રાસ અપાતા આ પગલુ ભરી લીધાનું બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.