Abtak Media Google News

અબતક, રાજકોટ

મ્યાનમાર માં લોકતંત્ર ની સ્થાપના માટે વર્ષો નહીં દાયકાઓથી સંઘર્ષ કરી રહેલી સામાજિક નેતા અને જેને શાંતિ માટે નોબલ પુરસ્કાર આપવા સુધીનો શિરપાવ મળ્યો છે તેવા મ્યાનમારના ઓમ સેનસુકી ની રાજદ્વારી કારકિર્દી અને ખાસ કરીને મ્યાનમારના લોકતંત્રને કાયમ માટે ગળે ટુપો દઈ દેવાનું કાવતરુ અમલમાં લાવવા માટે લોકતાંત્રિક વિરોધી પરિબળો જાણે કે સફળ થઈ ગયા હોય તે 15વર્ષથી જેલમાં રહેલી સુકીને બે વર્ષની જેલની સજા ફટકારી દેવામાં આવી છે,

76 વર્ષના સુકી ને પહેલી ફેબ્રુઆરી એ સેનાના બળવા બાદ નજર કેદ કરી લેવામાં આવી હતી બીજા વખતના સુકાન વખતે સુકી ને નજર કેદ કરી લેવામાં આવી હતી અને તેની સામે અનેક આરોપો મુકવામાં આવ્યા હતા સુખી સામે જે આરોપ મૂકવામાં આવ્યા છે તેમાં જો તે કસૂરવાર ઠરે તો સો વર્ષથી વધુની સજા થાય તેમ છે સુકી સામે ની સજા ઘટાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે સેનાધ્યક્ષ જનરલ મિનિંગ અને અદાલત દ્વારા તેની સજામાં દસ મહિનાના ઘટાડાની હિમાયત કરવામાં આવી છે.લોકતંત્રની બહાલી માટે સુકી ય આજીવન સંઘર્ષ કર્યો છે પરિવારના અંગત ને ગુમાવીને પણ સુકી એપોતાની ચળવળ બંધ રાખી નથી નવેમ્બર 2020 ની ચૂંટણીમાં કી નો રાજકીય પક્ષ જંગી બહુમતીથી સત્તામાં આવ્યું હતું પરંતુ લશ્કરે મતદાનમાં  ભ્રષ્ટાચાર કરીને સત્તા પ્રાપ્તિ કરીહોવાનો આક્ષેપ કરીને સુખી પાસેથી સથવા હસ્તક કરી લીધી હતી અને એને આવનાર ચૂંટણી સુધી ગેરલાયક ઠેરવી હતી સુકી પરની આ કાર્યવાહી સામે સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘના માનવ અધિકાર પંચના આંગણે આ મુદ્દો ઉઠ્યો હતો જેમાં અમેરિકાએ પણ સુકી અને તેમના સાથીદારોની જેલ મુક્તિ માટે પ્રયાસો હાથ ધર્યા હતા પરંતુ મ્યાનમાર મા ચીનનાદોરી સંચાર થી  મુક્તિ શક્ય બની નથી સોમવારે સુકી સામે કરાયેલા આરોપમાં ખોટી અફવાઓ અને અફરાતફરી ફેલાવાની સાથે સાથે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગાડવા સહિતના આક્ષેપો કરવામાં આવી હશે આમ સૂકીને કાયદાના સકંજામાં લઇને મ્યાનમારમાં લોકતંત્રને કાયમીધોરણે દફન કરવાનું કાવતરૂ પાર પડયું હોવાનો સ્પષ્ટ ચિત્ર ઊભું થાય છે.

દેશના લોકતંત્ર માટે જીવન હોડમાં મૂકી દેનાર સુકીના શાંતિના પ્રયાસો માટે નોબલ પ્રાઈઝ સુધીના સન્માન સુધી પહોચેલી મ્યાનમારની લોકતાંત્રિક નેતા ની રાજકીય અને સામાજિક કારકિર્દી જોખમમાં મૂકાઇ જાય તેવી રીતે સજા ફટકારી દેવાય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.