Abtak Media Google News

પિતા-પુત્ર ઘર પાસે બેઠા હતા ને બનાવ સર્જાયો

અબતક,રાજકોટ

રાજકોટમાં આજીડેમ નજીક ગુલાબનગરમાં સરકારી જમીનમાં વંડાની દિવાલ માથે પડતા માસુમ બાળકનું મોત નિપજયું હતુ. જયારે તેના પિતાને ગંભીર ઇજા પોહચતા તેને સારવાર માટે સિવીલ હોપિસ્પટલમાં ખસેડાયા છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગુલાબનગરમાં રહેતા ઈશુભાઈ મજીદભાઈ લકરીયા (ઉ.વ.૩૫) અને તેનો પુત્ર કરણ (ઉ.વ.૭) સવારે તેના ઘર પાસે સરકારી ખરાબાની જગ્યાએ તડકો ખાવા બેઠા હતા તે દરમિયાન દિવાલ પડતા બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં ગંભીર રીતે ઘવાયેલા માસુમ પુત્ર કરણનું સારવાર મળે તે પહેલા જ મોત નિપજયું હતું.

બનાવને પગલે આજીડેમ પોલીસ મથકના જમાદાર મહેન્દ્રભાઈએ તપાસ કરતા પિતા ઈશુભાઈ કચરો વિણવાનું કામ કરતા અને મુળ કાલાવડના હાલ રાજકોટમાં ગુલાબનગરમાં રહેતા તેને સંતાનમાં ત્રણ પુત્રો અને બે પુત્રી હોવાનું અને સવારે તેના ઘર પાસે બેઠા હતા તે દરમિયાન દિવાલ પડતા બનાવ બન્યો હોવાનું પરિવારે જણાવતા પોલીસે કાર્યવાહી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.