Abtak Media Google News

અબતક, રાજકોટ

ભારતની નિ:શુલ્ક પશુ પક્ષી સારવાર ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા તેમજ ભારત સરકાર દ્વારા જીવદયાનો સર્વોચ્ચ ઍવોર્ડ વિજેતા સંસ્થા શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનિમલ હેલ્પલાઈન, રાજકોટમાં છેલ્લા 18વર્ષથી એનીમલ હેલ્પ લાઇન કાર્યરત છે.અત્યાર સુધીમાં 5,50,000 જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની સ્થળ ઉપર જ, વિનામૂલ્યે, નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા, દસ એમ્બ્યુલન્સ તેમજ બે બાઇક એમ્બયુલન્સ થકી ઓપરેશન સહિતની સારવાર થઈ છે, થતી રહે છે. કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ- એનિમલ હેલ્પલાઈન દ્વારા અન્ય સંસ્થાઓ અને જીવદયા પ્રેમીઓને પણ આ ભગીરથ કાર્યમાં જોડાવવા વિનમ્ર અપીલ કરવામાં આવી છે. કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ  એનિમલ હેલ્પલાઈન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજકોટમાં/અન્ય સ્થળોએ વધુ નિ:શુલ્ક/ટોકન દરે પશુ દવાખાનાઓ અને હોસ્પિટલ,વધુ નિ:શુલ્ક/ટોકન દરે પશુ-પક્ષી સારવાર એમ્બ્યુલન્સ,પશુ-પક્ષી આશ્રય સ્થાન(શેલ્ટર),ગૌ-શાળા-પાંજરાપોળ,અબોલજીવોનાં અન્નક્ષેત્રની તાતી જરૂરિયાત છે.  સૌ સાથે મળી સૌ અબોલ જીવોને સમયસર,પૂરતી,નિ:શુલ્ક સારવાર,આશ્રય,ભોજન-પાણી મળે તે માટે પ્રયત્નશીલ બનવા મિતલ ખેતાણી (9824221999) દ્વારા વિનંતી કરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.